24 કલાકમાં 19,459 કેસ, 380 લોકોનાં મોત
Live TV
-
ભારતમાં રિક્વરી રેટ વધીને 58.67 ટકા થયો
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ રિક્વરી રેટ વધીને 58.67 ટકાએ પહોંચી ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ ભારતમાં કોરોના વાયરસના હવે 2 લાખ 10 હજાર 120 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી દેશભરમાં 16,475 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ, 3 લાખ 21 હજાર 723 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. તો આ તરફ રાજ્યમાં 24 કલાકમાં 19,459 કેસ નોંધાયા છે જ્યારે 380 લોકોના મોત થયા છે.
