3274 ટ્રેન મારફતે 44 લાખ શ્રમિકોને વતન પહોંચાડાયા
Live TV
-
દેશમાં શ્રમિક રેલગાડીઓથી શ્રમિકોનું પોતાના વતન જવાનું યથાવત્
પ્રવાસીઓને તેમના ગૃહરાજ્ય પહોંચાડવા શ્રમિક ટ્રેન દોડાવવાનો સિલસિલો હજી ચાલુ છે. 25 મે સુધીમાં 44 લાખ શ્રમિકોને તેના વતન પહોંચાડવામાં આવ્યા. ભારતીય રેલવેએ આ હેતુસર 25 મે સુધીમાં 3 હજાર 274 શ્રમિક ટ્રેનનું સંચાલન
કર્યું હતું. આ દરમિયાન રેલવેએ 74 લાખ લોકોને ફુડ પેકેટનું વિતરણ કર્યું અને એક કરોડ પાણીની બોતલનું વિતરણ પણ કર્યું હતું. રેલવે તેના ઉપરાંત દિલ્હી સાથે સંકળાયેલી 30 ટ્રેન ચલાવી રહી છે. પહેલી જૂનથી વધુ 200 ટ્રેન
દોડાવવાની યોજના છે. રેલવે આ તમામ કામગીરી વચ્ચે કોવિડ -19 સામે લડત આપવા ઘડાયેલા નિયમોનું પણ પાલન કરી રહી છે.
