PM કેયર્સ ફંડમાંથી 2000 કરોડ રકમમાંથી 50 હજાર વેન્ટિલેટર્સ બનાવાશે
Live TV
-
પ્રધાનમંત્રી કેયર્સ ફંડમાંથી ફાળવવામાં આવેલી રકમમાંથી 50 હજાર વેન્ટિલેટર્સ બનાવવામાં આવ્યા છે. મેડ ઈન ઈન્ડિયા વેન્ટિલેટર માટે પીએમ કેયર્સ ફંડમાંથી 2000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
આ તમામ વેન્ટિલેટર ભારતમાં બનાવવામાં આવ્યા છે અને તેને વિવિધ રાજ્યોને વહેંચી દેવામાં આવ્યા છે. પીએમ કાર્યાલય પ્રમાણે, 50 હજાર વેન્ટિલેટર્સમાંથી અત્યાર સુધી 2923 બની ચૂક્યા છે, જેમાંથી 1340 વેન્ટિલેટર્સ કેટલાક રાજ્યોને મોકલી દેવામાં આવ્યા છે.
જે પ્રમાણે મહારાષ્ટ્રને 275 વેન્ટિલેટર્સ, દિલ્હીને 275, ગુજરાતને 175, બિહારને 100, કર્ણાટકને 90 અને રાજસ્થાનને 75 વેન્ટિલેટર આપવામાં આવ્યા છે. ઉપરાંત 1000 કરોડ રકમ પ્રવાસી શ્રમિકોના કલ્યાણ માટે ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત 100 કરોડ વેક્સિન બનાવવામાં માટે ફાળવવામાં આવશે.
