RBI એ દ્વિમાસિક મૌદ્રિક નીતિની ઘોષણા કરી, રેપો રેટ 6.5 ટકાએ યથાવત રાખ્યો
Live TV
-
રિઝર્વ બેંકના રેપો રેટમાં કોઈ બદલાવ થયો નથી અને રેપો રેટ 6.5 ટકાએ યથાવત રહ્યો છે.
રિઝર્વ બેંકના રેપો રેટમાં કોઈ બદલાવ થયો નથી અને રેપો રેટ 6.5 ટકાએ યથાવત રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાસે આજે દ્વિમાસિક મૌદ્રિક નીતિની ઘોષણા કરી હતી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, નાણાકીય વર્ષ 2024-25માં ભારતનું પ્રર્દશન ઉત્તમ રહેવાની આશા છે. તેમણે જણાવ્યું હતું કે, 5 જૂનથી મૌદ્રિક નીતિની સમીક્ષા કરવા અંગેની બેઠક મળી હતી. નોંધનીય છે કે, આરબીઆઇએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધાર્યા હતા. ત્યાર પછી તેમાં કોઈ ફેરફાર થયો નથી. આરબીઆઇના મતે જીડીપીનો દર 7.2 ટકા રહેવાનું અનુમાન છે.
