ડાંગઃ કમોસમી વરસાદને પગલે 311 ગામોમાં ખેડૂતોના પાકને કેટલું થયું નુકશાન તેનો કરાશે સર્વે
Live TV
-
ડાંગ જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો આકાશી ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ચોમાસું ગયા બાદ પણ વરસાદ વરસી રહ્યો છે જેને કારણે પાક બગડવાની શક્યતા વધી ગઈ છે.
કમોસમી માવઠાનો કેર ડાંગ જિલ્લાના ખેડૂતો પર વર્તાયો છે. માવઠાના કારણે ડાંગ જિલ્લામાં થતા ડાંગર, નાગલી, વરાઈ અડદ, તુવેર જેવા પાકો પર , માઠી અસર વર્તાય છે. ત્યારે ખેડૂત તાલીમ ભવન આહવા ખાતે બે ગામ વચ્ચેના ખેડૂત આગેવાનોને સર્વેની કામગીરી સોંપાઈ હતી.
આ મિટિંગમાં 311 ગામમાં ખેડૂતોને કેટલું નુકસાન થયું છે, તેના સર્વે માટેની કામગીરી સોંપાઈ હતી. આત્મા પ્રોજેક્ટના નાયબ નિયામક એમ એમ પટેલ અને ખેતીવાડી અધિકારી સુનિલ પટેલ દ્વારા, સર્વે અંગેની વિસ્તૃત માહિતી ખેડૂતો- આગેવાનોને આપવામાં આવી હતી.
કમોસમી માવઠાને કારણે ડાંગ જિલ્લાના ઘણા ખેડૂતોને ૩૦ થી ૪૦ ટકા જેટલું નુકસાન થ્યું છે. સમગ્ર ડાંગ જિલ્લામાં ખેડૂતોને કેટલું નુકસાન થયું છે, તેની સર્વેની કામગીરી હાથ ધરી નુકસાન વેઠનારા ખેડૂતોને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવશે.