ભરૂચમાં દીપડાની દહેશત
Live TV
-
ભરૂચ જીલ્લાના અંતરિયાળ ગામડાઓ અને સુરત જીલ્લાના માંડવી બાદ હવે મહુવામાં પણ દિપડાની દહેશત જોવા મળી છે. મહુવાના બારતાડ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દિપડાની અવર જવર જોવા મળી છે. દિપડાએ અહીં 4 જેટલા દુધાળા પશુઓનું મારણ કર્યું છે. જેને લઈને બરતાડ ગામ વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતાં વનવિભાગ દ્વારા બારતાડ ગામે દિપડાને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા છે. તો બીજી તરફ દીપડો માનવ વસ્તી તરફ આવી ન ચઢે તે માટે લોકો દ્વારા રાત્રી દરમિયાન સળગતી મશાલ સાથે રાત્રી ફેરી ફરી રહ્યા છે.