Skip to main content
Settings Settings for Dark

Live TV

X

‘સ્વચ્છ હવા જીવન' માટે ખૂબ જરૂરી; તેના માટે સંયુક્ત પ્રયાસો કરીએ- પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા

ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં સ્વચ્છતા અભિયાન, સર્ક્યુલર ઈકોનોમી,નેશનલ ક્લીન એર પ્રોગ્રામ, 'એક પેડ મા કે નામ' 'વન મહોત્સવ' જેવા વિવિધ પર્યાવરણ લક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તેમ,વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું.વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ મંત્રી મુળુભાઇ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ- GPCB દ્વારા ગત તા.

Gujarati

સુઈ ગામમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજીને અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ ઝડપભેર પુર્વવત કરવા આપ્યુ માર્ગદર્શન

મુખ્યમંત્રી ગુરુવારે બપોરે સુઈગામ પહોંચ્યા હતા અને સુઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના આશ્રય સ્થાનમાં આશરો લઈ રહેલા પૂર અસરગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમને અપાતી સગવડ તેમજ પૂરથી થયેલા નુકસાનની વિગતો જાણી હતી અને સરકાર આ પૂરની પરિસ્થિતિમાં તેમની પડખે હોવાનો અહેસાસ કરાવ્યો હતો. 

Gujarati

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર વધુ એક વર્ષનો પ્રતિબંધ

એમ, કમિશનર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.યાદીમાં વધુમાં જણાવાયું છે કે, કોઈ પણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધિત છે. આમ ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ હાનિ પહોચે છે. જેથી વર્તમાન તેમજ ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્યને નુકસાનકારક ગુટકા પર કાયદા અન્વયે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના સુઈગામની મુલાકાત લીધી,અસરગ્રસ્તોને આપી હિંમત

મુખ્યમંત્રીએ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને ત્યાં આશ્રય લઈ રહેલા અસરગ્રસ્ત લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમના હાલચાલ પૂછ્યા હતા.

Gujarati

આદિ સંસ્કૃતિ પોર્ટલ (Beta Version) પહેલનું નવી દિલ્હીથી લોન્ચિંગ : વિશ્વની પ્રથમ ડિજિટલ આદિવાસી યુનિવર્સિટીનો શુભારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા એક નવીન પહેલ તરીકે ‘આદિ સંસ્કૃતિ પોર્ટલ’ (Beta Version)ને લોન્ચ કરવામાં આવ્યું છે, જેના પરિણામે દેશમાં વિશ્વની પ્રથમ ડિજિટલ આદિવાસી યુનિવર્સિટી નિર્માણ પામી છે. આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય એક ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા દેશના આદિવાસી કલા સ્વરૂપોને શીખવા, શીખવવા અને પ્રોત્સાહન આપવા માટે ઇ-એકેડેમી તરીકેનો છે. તદુપરાંત આ પોર્ટલ થકી દેશના આદિવાસી સમુદાયોના સમૃદ્ધ સામાજિક-સાંસ્કૃતિક વારસાના દસ્તાવેજીકરણ-પ્રદર્શન માટે ડિજિટલ રિપોઝીટરી તરીકેની સેવા પણ આપવામાં આવશે. 

Gujarati

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 400 ટન ખાદ્ય સામગ્રી અને 70 ટન દવાઓ સાથેની વિશેષ રાહત ટ્રેનને પંજાબના પૂર અસરગ્રસ્તો માટે કરી રવાના

પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવાના ઉમદા હેતુથી ગુજરાત સરકારની રાહત કમિશનરની કચેરીના સંકલન હેઠળ અન્ન નાગરિક પૂરવઠા વિભાગ, કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ જેવા વિવિધ વિભાગો દ્વારા જીવન આવશ્યક ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે પંજાબ પહોંચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોટ, ડુંગળી, બટાકા, ચોખા, સીંગતેલ, ખાંડ અને દૂધ પાવડર જેવી આવશ્યક વસ્તુ મળી કુલ 400 ટન ખાદ્ય સામગ્રી તેમજ 10 હજાર નંગ તાડપત્રી, 10 હજાર મચ્છરદાની, 10 હજાર બેડશીટ અને 70 ટન જેટલી દવાઓ સાથેની આ વિશેષ રાહત ટ્રેનને ગાંધીનગર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું હતું.

Gujarati

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: સુરતમાં શહેરી વિકાસને વેગ

સુરત શહેરમાં 'ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. 61'ને માત્ર 8 મહિનાના ટૂંકા ગાળામાં અવોર્ડ કરવામાં આવી છે, જે રાજ્યના સર્વાંગી વિકાસ વિઝનના દ્રઢ સંકલ્પ, ટેક્નોલોજીનો વિનિયોગ અને જનસહભાગિતાનું ઉત્તમ ઉદાહરણ છે.જેમ ભારતની પહેલી બુલેટ ટ્રેન હકીકત બની રહી છે, તેમ તેમ સુરત શહેર પણ વિકાસના નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે.

Gujarati

“માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ” છેલ્લા 25 વર્ષથી માઈભક્તોની કરી રહ્યા છે અવિરત સેવા યાત્રા

ગાંધીનગરના માણસા તાલુકાના આનંદપુરા અને વેડા ગામના યુવાનોનો એક સંઘ વર્ષ 1995 થી દરવર્ષે વેડાથી અંબાજીની પદયાત્રા પર જતો હતો. પદયાત્રા દરમિયાન આ યુવાનોને હડોલથી ટીંબા વચ્ચેના 8 કિલોમીટરના દુર્ગમ અને કાચા રસ્તા પર ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ ઢોળાવવાળા રસ્તા પર યાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓને પીવાનું પાણી પણ નસીબ ન થતું. આ પરિસ્થિતિ જોઈને વર્ષ 1999માં આ યુવાનોએ દ્રઢ સંકલ્પ કર્યો કે આવતા વર્ષથી, એટલે કે વર્ષ 2000થી, તેઓ આ રસ્તા પર યાત્રાળુઓ માટે પીવાના પાણીનો સેવા કેમ્પ શરૂ કરશે.

Gujarati

મીનેશ વાળંદ દ્વારા ભણાવાયેલી વિદ્યાર્થીનીઓ સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં વ્યવસાય મેળવી આત્મનિર્ભર બની

આ અસાધારણ શિક્ષકે ધોરણ 8 પાસ કરેલી 50થી વધુ દીકરીઓને આદર્શ નિવાસી શાળા-સેક્ટર 13, ગાંધીનગર ખાતે પ્રવેશ અપાવ્યો હતો. આ દીકરીઓના અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી પણ તેમણે ઉપાડી હતી. જેના પરિણામ સ્વરૂપે આજે આમાંથી મોટાભાગની વિદ્યાર્થીઓ સ્નાતક, અનુસ્નાતક અને બી.એડ જેવા અભ્યાસક્રમો પૂર્ણ કરીને સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં વ્યવસાય મેળવી આત્મનિર્ભર બની છે.

Gujarati

‘આદિ કર્મયોગી અભિયાન’એ દેશનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન :મંત્રી ડૉ. કુબેર ડિંડોર

આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે ગાંધીનગરથી અભિયાન અંગે વિગતો આપતા કહ્યું હતું કે, આદિ કર્મયોગી અભિયાન એ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે, જે આદિવાસી વિસ્તારોમાં પાયાના શાસન અને સેવા વિતરણમાં ધરમૂળથી પરિવર્તન લાવવા માટેનું મિશન ધરાવે છે. જે સેવા, સમર્પણ અને સંકલ્પ દ્વારા સંચાલિત છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply