Live TV
'સેવા હી સંગઠન' ઇ-બુકનું લોકાર્પણ
આજે પ્રદેશ ભાજપા કાર્યાલય 'શ્રી કમલમ', ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે કોરોના મહામારીકાળ દરમિયાન ગુજરાત ભાજપાના કાર્યકર્તાઓએ 'સેવા હી સંગઠન' અંતર્ગત કરેલ વિવિધ સેવકાર્યોની સંકલિત માહિતીની પ્રદેશ ભાજપાની 'ઇ-બુક'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જળ સંચય અભિયાનનાં કામોની સમીક્ષા કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે પોતાના નિવાસ સ્થાનેથી રાજ્યના છ જિલ્લામાં ચાલી રહેલાં જળ અભિયાન કામોની સમીક્ષા કરી હતી. તેમણે સુજલામ સુફલામ જળ અભિયાન આગામી ત્રણ વર્ષ સુધી ચાલુ રાખી રાજ્યનાં તમામ તળાવો ઊંડાં કરી આવનારી પેઢીને પચાસ વર્ષ સુધી જળ સમૃદ્ધિનો વારસો આપવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જિલ્લામાં ચાલી રહેલા જળ અભિયાન કામોની સમીક્ષા કરતાં ગ્રામજનો તથા ખેડૂતો પાસેથી આ અભિયાનની સફળતા અને ઉપયોગિતા અંગે પ્રતિસાદ આપવા પણ હાકલ કરી હતી. જળસંચય અભિયાન અંતર્ગત પ્રથમ વખત મુખ્યમંત્રીએ ટૅક્નૉલૉજી માધ્યમથી આગેવાનો સાથે સંવાદ યોજ્યો હતો.
ડાંગના 50 જેટલા ખેડૂતોને મળી સ્ટ્રોબેરીની ખેતીમાં સફળતા
Submitted by gujaratdesk on
ડાંગમાં બાગાયતી ખેડીનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ત્યારે અહીંના ખેડૂતોએ સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી છે.
દક્ષિણ ઈરાનના બંદર અબ્બાસમાં શાહિદ રાજાઈ બંદર પર પ્રચંડ વિસ્ફોટ
દક્ષિણ ઈરાનના બંદર અબ્બાસમાં શાહિદ રાજાઈ બંદર પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 4 લોકોના મૃત્યુ અને 500થી વધુ ઘાયલ થયા છે. વિસ્ફોટથી આસપાસના વિસ્તારો હચમચી ગયા. આ વિસ્ફોટ શાહિદ રાજાઈ બંદર વિસ્તારમાં રાખવામાં આવેલા અનેક કન્ટેનરમાં થયા હતા.
નેશનલ ઈરાની પેટ્રોલિયમ રિફાઈનિંગ એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કંપનીએ જણાવ્યું હતું કે વિસ્ફોટથી પેટ્રોલિયમ પર કોઈ અસર પડી નથી. ઓમાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ વાટાઘાટોનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે.
ગુજરાત પોલીસનું મોટું અભિયાનઃ પાકિસ્તાની-બાંગ્લાદેશી નાગરિકોની તપાસ શરૂ
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વડોદરાની મુલાકાતમાં તેમણે રાજ્યભરમાંથી પાકિસ્તાની કે બાંગ્લાદેશી નાગરિકોની ભાળ મેળવવાની પ્રક્રિયા શરૂ કરાઇ હોવાનું જણાવ્યું હતું. તે મુજબ વડોદરા પોલીસ હરકતમાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વડોદરામાં પાકિસ્તાની કે બાંગ્લાદેશી નાગરિકોની તપાસ શરૂ કરાઇ છે.
રાજ્યમાં આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાન યથાવત્ રહેશે
રાજ્યમાં આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાન યથાવત્ રહેશે. જ્યારે 2 દિવસ બાદ પવનની દિશા બદલાવાથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી સુધી રહી શકે છે.
રાજ્યના બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 27 એપ્રિલથી 1 મે સુધી દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળો પવન ફૂંકાઈ શકે છે તો રાજ્યનું સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 43.9 ડિગ્રી અને અમરેલીમાં 43.1 ડિગ્રી નોંધાયું છે.
કૈલાશ માનસરોવર યાત્રા જૂનથી ઓગસ્ટ દરમિયાન યોજાશે
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરાશે. મંત્રાલયે જણાવ્યું કે આ યાત્રામાં શ્રદ્ધાળુઓના જૂથ ઉત્તરાખંડમાં લીપુલેખ પાસ અને સિક્કિમમાં નાથુ-લા પાસ પાર કરશે. આ યાત્રા માટે અરજી મંત્રાલયની વેબસાઇટ પર ઓનલાઈન કરી શકાશે. જેમાં મુસાફરોની પસંદગી નિષ્પક્ષ કમ્પ્યુટર રેન્ડમ માધ્યમ દ્વારા કરવામાં આવશે.
યાત્રાળુઓ http://kmy.gov.in પર અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૩ મે, ૨૦૨૫ છે.
એ.આર.રહેમાન પર 'શિવ સ્તુતિ' ધૂન ચોરીનો આરોપ, 2 કરોડ રૂપિયાનો દંડ
પ્રખ્યાત સંગીત નિર્દેશક એ.આર.રહેમાન ફરી એકવાર વિવાદમાં. દિલ્હી હાઈકોર્ટે તેમને અને ફિલ્મ નિર્માણ કંપની મદ્રાસ ટોકીઝને ધૂનની નકલ કરવાના આરોપસર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ મામલો ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ 'પોનીયિન સેલ્વન 2'ના ગીત 'વીરા રાજા વીરા' સાથે જોડાયેલો છે. કોર્ટે આ મામલે રહેમાનને નોટિસ મોકલી છે.
પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ઉસ્તાદ ફૈયાઝુદ્દીન વસીફુદ્દીન ડાગરે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે 'વીરા રાજા વીરા' ગીતની ધૂન તેમના પિતા નાસિર ફૈયાઝુદ્દીન ડાગર અને કાકા નાસિર ઝહીરુદ્દીન ડાગર દ્વારા રચિત 'શિવ સ્તુતિ'માંથી નકલ કરવામાં આવી છે.
એ.આર.રહેમાન પર 'શિવ સ્તુતિ' ધૂન ચોરીનો આરોપ, 2 કરોડ રૂપિયાનો દંડ
પ્રખ્યાત સંગીત નિર્દેશક એ.આર.રહેમાન ફરી એકવાર વિવાદમાં. દિલ્હી હાઈકોર્ટે તેમને અને ફિલ્મ નિર્માણ કંપની મદ્રાસ ટોકીઝને ધૂનની નકલ કરવાના આરોપસર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ મામલો ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ 'પોનીયિન સેલ્વન 2'ના ગીત 'વીરા રાજા વીરા' સાથે જોડાયેલો છે. કોર્ટે આ મામલે રહેમાનને નોટિસ મોકલી છે.
પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ઉસ્તાદ ફૈયાઝુદ્દીન વસીફુદ્દીન ડાગરે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે 'વીરા રાજા વીરા' ગીતની ધૂન તેમના પિતા નાસિર ફૈયાઝુદ્દીન ડાગર અને કાકા નાસિર ઝહીરુદ્દીન ડાગર દ્વારા રચિત 'શિવ સ્તુતિ'માંથી નકલ કરવામાં આવી છે.