Skip to main content
Settings Settings for Dark

Live TV

X

કૈલાશ માનસરોવર યાત્રા જૂનથી ઓગસ્ટ દરમિયાન યોજાશે

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરાશે. મંત્રાલયે જણાવ્યું કે આ યાત્રામાં શ્રદ્ધાળુઓના જૂથ ઉત્તરાખંડમાં લીપુલેખ પાસ અને સિક્કિમમાં નાથુ-લા પાસ પાર કરશે. આ યાત્રા માટે અરજી મંત્રાલયની વેબસાઇટ પર ઓનલાઈન કરી શકાશે. જેમાં મુસાફરોની પસંદગી નિષ્પક્ષ કમ્પ્યુટર રેન્ડમ માધ્યમ દ્વારા કરવામાં આવશે.

યાત્રાળુઓ http://kmy.gov.in પર અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૩ મે, ૨૦૨૫ છે.

Gujarati

એ.આર.રહેમાન પર 'શિવ સ્તુતિ' ધૂન ચોરીનો આરોપ, 2 કરોડ રૂપિયાનો દંડ

પ્રખ્યાત સંગીત નિર્દેશક એ.આર.રહેમાન ફરી એકવાર વિવાદમાં. દિલ્હી હાઈકોર્ટે તેમને અને ફિલ્મ નિર્માણ કંપની મદ્રાસ ટોકીઝને ધૂનની નકલ કરવાના આરોપસર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ મામલો ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ 'પોનીયિન સેલ્વન 2'ના ગીત 'વીરા રાજા વીરા' સાથે જોડાયેલો છે. કોર્ટે આ મામલે રહેમાનને નોટિસ મોકલી છે.

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ઉસ્તાદ ફૈયાઝુદ્દીન વસીફુદ્દીન ડાગરે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે 'વીરા રાજા વીરા' ગીતની ધૂન તેમના પિતા નાસિર ફૈયાઝુદ્દીન ડાગર અને કાકા નાસિર ઝહીરુદ્દીન ડાગર દ્વારા રચિત 'શિવ સ્તુતિ'માંથી નકલ કરવામાં આવી છે.

Gujarati

એ.આર.રહેમાન પર 'શિવ સ્તુતિ' ધૂન ચોરીનો આરોપ, 2 કરોડ રૂપિયાનો દંડ

પ્રખ્યાત સંગીત નિર્દેશક એ.આર.રહેમાન ફરી એકવાર વિવાદમાં. દિલ્હી હાઈકોર્ટે તેમને અને ફિલ્મ નિર્માણ કંપની મદ્રાસ ટોકીઝને ધૂનની નકલ કરવાના આરોપસર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ મામલો ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ 'પોનીયિન સેલ્વન 2'ના ગીત 'વીરા રાજા વીરા' સાથે જોડાયેલો છે. કોર્ટે આ મામલે રહેમાનને નોટિસ મોકલી છે.

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ઉસ્તાદ ફૈયાઝુદ્દીન વસીફુદ્દીન ડાગરે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે 'વીરા રાજા વીરા' ગીતની ધૂન તેમના પિતા નાસિર ફૈયાઝુદ્દીન ડાગર અને કાકા નાસિર ઝહીરુદ્દીન ડાગર દ્વારા રચિત 'શિવ સ્તુતિ'માંથી નકલ કરવામાં આવી છે.

Gujarati

સિંધુ નહેર યોજના સામે પ્રદર્શન તેજઃ 'પ્રોજેક્ટ રદ ન થાય ત્યાં સુધી ધરણાં ચાલુ રહેશે'

સિંધુ નહેર પ્રોજેક્ટ સામે વિરોધ વધુ તીવ્ર, વિરોધીઓએ કહ્યું 'જ્યાં સુધી પ્રોજેક્ટ રદ ન થાય ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે'

ખૈરપુર જિલ્લાના બાબરલોઈ બાયપાસ પર વકીલો, રાજકીય પક્ષો અને અનેક નાગરિક સંગઠનોએ ધરણા પ્રદર્શન ચાલુ રાખ્યું છે. વિરોધીઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં સુધી સરકાર આ પ્રોજેક્ટને સંપૂર્ણપણે રદ નહીં કરે ત્યાં સુધી તેઓ વિરોધ બંધ કરશે નહીં.

પ્રદર્શનકારીઓના મતે, આ પ્રદર્શનમાં બે લાખથી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક મીડિયા અનુસાર, આ વિરોધ સિંધુ નદી પર 6 પ્રસ્તાવિત નહેરોના નિર્માણનો વિરોધ છે.

Gujarati

વડોદરા સ્થિત સેન્ટ્રલ જીએસટી કમિશનરેટ દ્વારા રોજગાર મેળાનું આયોજન

આજે દેશભરમાં 47 સ્થળ પર 51 હજાર યુવાઓને રોજગારીપત્રો એનાયત કરવામાં આવ્યા. જે અંતર્ગત વડોદરા સ્થિત સેન્ટ્રલ જીએસટી કમિશનરેટ દ્વારા એફજીઆઈના સભાગૃહમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં CBIC, પોસ્ટ વિભાગ, બેંક ઓફ બરોડા, EPFO અને ઓવરસીઝ બેંક સહિતના કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો દ્વારા 120 યુવાઓને તેમની લાયકાતના આધારે નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા.

Gujarati

છોટાઉદેપુરઃ ડુંગરવાંટના સરપંચ ડૉ. બીના રાઠવાને 'બેસ્ટ લર્નર'નો એવોર્ડ એનાયત

છોટાઉદેપુર જિલ્લાના ડુંગરવાંટ જૂથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ડૉ. બીનાબેન રાઠવાને દિલ્હી ખાતે જળ શક્તિ મંત્રાલયના મંત્રી સી.આર.પાટીલના હસ્તે 'બેસ્ટ લર્નર'નો એવોર્ડ એનાયત કરાયો. 

નવી દિલ્હી ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ઓડિટોરીયમ ખાતે ૨૨ એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસની ઉજવણી પ્રસંગે જળ શક્તિ મંત્રાલય દ્વારા સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં દેશભરમાંથી ૨૦૦ જેટલા સરપંચોને આમંત્રિત કરાયા હતા.

દિલ્હી સ્થિત આયોજિત કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા સરપંચ ૨૯ પ્રકારના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, એમાંથી ૪ એવોર્ડ ગુજરાતમાં મળ્યા હતા. 

Gujarati

પોપ ફ્રાન્સિસના આજે અંતિમ સંસ્કાર, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પી

વેટિકન સિટીમાં આજે પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું, પોપ ફ્રાન્સિસની સમાજ પ્રત્યેની સેવાને દુનિયા હંમેશા યાદ રાખશે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની ભૂતપૂર્વ પોસ્ટ ફરીથી પોસ્ટ કરીને આ સંદેશ શેર કર્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વેટિકન સિટીના સેન્ટ પીટર બેસિલિકામાં પોપ ફ્રાન્સિસના પાર્થિવ દેહ પર ફૂલો ચઢાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ, રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયન અને ગોવા વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જોશુઆ ડિસુઝા પણ તેમની સાથે છે.

Gujarati

પ્રધાનમંત્રી મોદીએ 51 હજારથી વધુ યુવાનોને નિમણૂકપત્રોનું વિતરણ કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં 51 હજારથી વધુ નવનિયુક્ત યુવાઓને નિયુક્તિપત્રો વિતરણ કર્યા છે. આ રોજગાર મેળાનું 15મું સંસ્કરણ હતું. દેશભરમાં કુલ 47 સંસ્થાઓમાં રોજગાર મેળાનું આયોજન કરાયું હતું. 

Gujarati

અંબાજી નજીક રાણપુર ખાતે કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, 10 ઇજાગ્રસ્ત

અંબાજી નજીક રાણપુર ખાતે ઇકો કાર પલટી ખાઇ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અંબાજીથી ખેરોજ તરફ જઈ રહી હતી. ગરમીના કારણે ઇકો કારનું ટાયર ફાટતાં કાર પલટી મારી ગઇ હોવાનું અનુમાન છે. કારમાં મુસાફરી કરી રહેલા 12થી 13 લોકો પૈકીના 10 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે પૈકી બેને પાલનપુર સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે. રસ્તા પર જતા અન્ય કારચાલકોએ ઉભા રહીને ઇજાગ્રસ્ત પીડિતોને મદદ કરી હતી.

દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં 

Gujarati

લખનઉ સુપર જાઈન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મુકાબલો

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કેપિટલ્સ (DC) આજે ટકરાશે. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. દિલ્હીએ ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં સાત મેચ રમી છે, જેમાંથી તેણે પાંચમાં જીત મેળવી છે. બીજી તરફ, લખનઉએ દિલ્હી કરતાં એક મેચ વધુ રમી છે, પરંતુ તેણે ફક્ત પાંચ મેચ જીતી છે.

સિઝનમાં બંને ટીમો બીજી વખત એકબીજા સામે આવી

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply