નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સુરેન્દ્રનગરના નાગરિકો ફસાયા હોય તો જાણ કરવા અપીલ
નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ નાગરિક કે પ્રવાસી ફસાયા હોય અથવા તેમનો સંપર્ક ન થઈ રહ્યો હોય તો તાત્કાલિક જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલરૂમને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.ટૂર ઓપરેટરોને પણ તેમના મારફતે નેપાળ ગયેલા પ્રવાસીઓની સ્થિતિ ચકાસવા સૂચના આપવામાં આવી છે.
DEOC કંટ્રોલરૂમ: 02752-285300,02753-283400