અમદાવાદમાં 21મો EXCEED Environment, HR and CSR Award 2026 યોજાયો
રાજ્યપાલએ જણાવ્યું હતું કે જીવનમાં બનેલી નાની ઘટના પણ વ્યક્તિને પ્રેરણા આપી માનવ કલ્યાણ અને સમાજસેવાનું માધ્યમ બની શકે છે. તેમણે ભારતીય સંસ્કૃતિના ‘વસુધૈવ કુટુમ્બકમ્’ના વિચારને યાદ કરાવી સમાજના વંચિત વર્ગના આંસુ લૂછવા અને રાષ્ટ્રસેવામાં યોગદાન આપવાનું આહ્વાન કર્યું હતું.તેમણે કહ્યું કે માણસે માત્ર પોતાના વિકાસ પૂરતો સીમિત ન રહેતા માનવ કલ્યાણ અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવું જોઈએ. ધનની ત્રણ ગતિ—દાન, ભોગ અને નાશ—માં જરૂરિયાતમંદને કરવામાં આવતું દાન શ્રેષ્ઠ છે.