રાજકોટમાં નંબર પ્લેટ વગરનાં વાહનોને ઈંધણ નહીં મળે
જાહેરનામા મુજબ, આગળ અને પાછળ બંને બાજુ સ્પષ્ટ અને કાયદેસર માન્ય HSRP નંબર પ્લેટ ન હોય તેવા દ્વિચક્રી, ત્રિચક્રી તથા ચારચક્રી વાહનોને ઈંધણ આપવામાં આવશે નહીં. નંબર પ્લેટ કાઢી નાખેલી, વાળેલી, તૂટેલી, ઢાંકેલી, અસ્પષ્ટ અથવા તેમાં ફેરફાર કરેલો હોય તેવા વાહનો પર પણ આ નિયમ લાગુ પડશે.