ભારત અને લાઇબેરિયા દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની કરી સમીક્ષા
વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે નવી દિલ્હીમાં તેમના લાઇબેરિયન સમકક્ષ સારા બેસોલો ન્યાન્તી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. જયશંકરે ભારતમાં લાઇબેરિયન દૂતાવાસના ઉદ્ઘાટન અને કામગીરી શરૂ કરવા બદલ તેમને અભિનંદન આપ્યા.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં વિગતો શેર કરતા એસ. જયશંકરે કહ્યું, "લાઇબેરિયન વિદેશ મંત્રી સારા બેસોલો ન્યાન્તીને મળીને આનંદ થયો. વાણિજ્યિક શિપિંગ, ખાણકામ, આરોગ્ય, કૃષિ, પાણી અને તાલીમ, તેમજ સલામતી અને સુરક્ષા પર ઉત્પાદક વાતચીત થઈ. અમારી બેઠકમાં UNSCમાં ખૂબ જ જરૂરી સુધારાઓનો પણ સમાવેશ થયો."