રાજ્યપાલએ અધ્યક્ષતામાં ટાઉનહોલ ખાતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન(IITE)નો આઠમો દીક્ષાંત સમારોહ સંપન્ન
સમારોહમાં આઇ.આઇ.ટી.ઈ.ના કુલાધિપતિ તથા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ શિક્ષણ અને સંસ્કારોના સમન્વય પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, વિશ્વવિદ્યાલયો માટે 'પદવીદાન' શબ્દ કરતાં 'દીક્ષાંત' શબ્દ વધુ ગરિમાપૂર્ણ છે. શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થી વર્ષો સુધી તપસ્યા અને પરિશ્રમ કરે છે, ત્યારે તેને આપવામાં આવતું સન્માન એ 'દાન' નથી પરંતુ તેની સાધનાની 'દીક્ષા' છે. દીક્ષાંત શબ્દથી દીક્ષિત છાત્રો અને ગુણની પ્રતિષ્ઠા વધે છે.