ગગનયાન તરફ એક મોટું પગલું, બીજું એરડ્રોપ ટેસ્ટ સફળ થયુ
ભારતીય અવકાશ સંશોધન સંગઠન દ્વારા શ્રીહરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્ર ખાતે આ પરીક્ષણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. ડૉ. જીતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ગગનયાન મિશનની તૈયારીમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.ભારતનું પ્રથમ માનવ અવકાશ મિશન, ગગનયાન, હવે 2027 માં લોન્ચ થવાનું છે. સરકારે આ મિશન માટે આશરે ₹10,000 કરોડનું બજેટ ફાળવ્યું છે.