ગુજરાત પોલીસના 'જનસંપર્ક કેન્દ્ર'થી નાગરિકોને ઝડપી ન્યાય: અરજદારો માટે બન્યું આશાનું કિરણ
રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ સિંગલ-વિન્ડો વ્યવસ્થા નાગરિકોની ફરિયાદો અને પ્રશ્નોના ન્યાયસંગત નિરાકરણ માટે સક્ષમ માધ્યમ બની છે.રાજ્યના પોલીસ વડાએ કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યાલય માત્ર અરજીઓ સ્વીકારવાનું સ્થળ નથી, પરંતુ ગુજરાત પોલીસની 'સુરક્ષા, સેવા અને વિશ્વાસ'ની ભાવનાનું પ્રતિક છે.