બન્નીના ગ્રાસલેન્ડમાં 20 કાળિયાર મુક્ત કરાયા
બન્ની ગ્રાસલેન્ડના નાયબ વનસંરક્ષક નેવીલ ચૌધરીના જણાવ્યા મુજબ, કાળિયારને વિશેષ એમ્બ્યુલન્સ દ્વારા જામનગરથી કચ્છ લાવવામાં આવ્યા હતા. પૂરતી તબીબી તપાસ અને હેલ્થ સ્ક્રીનિંગ બાદ તેમને બન્નીના કુદરતી રહેઠાણમાં છોડવામાં આવ્યા હતા. નવા વાતાવરણમાં અનુકૂલન માટે બોમા અને સોફ્ટ રિલીઝ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ચિત્તા માટે અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરવા બગડીયા વિસ્તારમાં 660 એકરમાં વિવિધ દેશી ઘાસનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.