ભારતીય શેરબજારમાં કારોબાર રહ્યો સ્થિર
શુક્રવારે ભારતીય શેરબજારમાં કારોબાર સ્થિર રહ્યો. ટ્રેડિંગના અંતે, 7.51 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે સેન્સેક્સ 74,332.58 પર બંધ થયો અને 7.80 પોઈન્ટના વધારા સાથે નિફ્ટી 22,552.50 પર બંધ થયો....
શુક્રવારે ભારતીય શેરબજારમાં કારોબાર સ્થિર રહ્યો. ટ્રેડિંગના અંતે, 7.51 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે સેન્સેક્સ 74,332.58 પર બંધ થયો અને 7.80 પોઈન્ટના વધારા સાથે નિફ્ટી 22,552.50 પર બંધ થયો....
શુક્રવારે ભારતીય શેરબજારમાં કારોબાર સ્થિર રહ્યો. ટ્રેડિંગના અંતે, 7.51 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે સેન્સેક્સ 74,332.58 પર બંધ થયો અને 7.80 પોઈન્ટના વધારા સાથે નિફ્ટી 22,552.50 પર બંધ થયો....
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે.રાહુલ ગાંધી 7 અને 8 માર્ચના રોજ અમદાવાદમાં રહેશે.ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું..આ દરમિયાન રાહુલ ગાંધીએ પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરીને વિવિધ સેલના હોદ્દેદારો સાથે સીધો સંવાદ કર્યો હતો.આ સાથે જ તેમણે પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં હાજરી આપી હતી.રાહુલ ગાંધીની સાથે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકલ વાસનિક સહીત,, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહીતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.રાહુલગાંધીના પ્રવાસ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોવિડ-19 રોગચાળા દરમિયાન તેમના વ્યૂહાત્મક નેતૃત્વ અને અમૂલ્ય સમર્થન માટે પ્રતિષ્ઠિત ઓનરેરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ’ એનાયત કરવામાં આવ્યો છે.
બાર્બાડોસમાં આયોજિત એક સમારોહમાં બાર્બાડોસના રાષ્ટ્રપતિ ડેમ સેન્ડ્રા મેસન પાસેથી પીએમ મોદીવતી કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ આ એવોર્ડ સ્વીકાર્યો. આ પ્રસંગે કેરેબિયન દેશના વડાપ્રધાન મિયા એમોર મોટલી, વિદેશ પ્રધાન કેરી સાયમન્ડ્સ અને અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. પાબિત્રા માર્ગેરિટાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.
સંગાથી' નામનું પીડિત સહાય કેન્દ્ર 2023માં ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં શરૂ કરાયું હતું.જોકે, હવે તેનું નવું સરનામું શાહીબાગ સ્થિત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ ખાતે છે.અહીં એક સ્વતંત્ર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જેમાં પીડિતોને લગ્ન સંબંધની સમસ્યાઓ, બાળકો અને માતાપિતાનું માર્ગદર્શન, માનસિક આરોગ્ય અને તણાવ વ્યવસ્થાપન, સરકારી યોજનાઓ વિશે માહિતી સહિતની તમામ મદદ અને માર્ગદર્શન એક છત નીચે મળી રહેશે...... શાહીબાગ ખાતે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના હસ્તે આ સેન્ટરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પોસ્ટ બજેટ વેબિનારમાં ભાગ લીધો હતો. વેબિનાર MSME - વૃદ્ધિનું એન્જિન, ઉત્પાદન, નિકાસ અને પરમાણુ ઊર્જા મિશન અને નિયમનકારી, રોકાણ અને વ્યવસાય કરવામાં સરળતા રહે તે માટે આયોજિત કરાયો હતો.
આ અવસરે પ્રધાનમંત્રીએ સંબોધન કરતા કહ્યું કે, દુનિયાનો પ્રત્યેક દેશ ભારત સાથે પાર્ટનરશીપ કરવા માંગે છે. ભારતના MSME ગ્લોબલ બનશે.
મહારાષ્ટ્રના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી ધનંજય મુંડેએ આજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પોતાનું રાજીનામું આપ્યું. મુખ્યમંત્રીએ રાજીનામું સ્વીકારી રાજ્યપાલ સી.પી.રાધાકૃષ્ણનને મોકલી આપ્યું હતું.
બીડ જિલ્લાના મસાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસમાં ધનંજય મુંડેના સહયોગી કરાડની ધરપકડ કરવામાં આવી છે. આ મુદ્દે વિપક્ષ ધનંજય મુંડેના રાજીનામાની માંગ કરી રહ્યો હતો. મુખ્યમંત્રી ફડણવીસે ધનંજય મુંડેને રાજીનામું આપવાનો આદેશ આપ્યો. ધનંજય મુંડેએ આજે સવારે પોતાના પીએ દ્વારા મુખ્યમંત્રીને રાજીનામું મોકલી આપ્યું હતું.
હવામાન વિભાગે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં છૂટાછવાયાં સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ, હિમવર્ષાની આગાહી કરી છે.
આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે તો ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં બરફવર્ષાની ગુજરાત પર અસર થઈ રહી છે. વહેલી સવારે અને રાત્રે હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
રાજ્યના મોટા ભાગના શહેરોમાં 30 થી 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું તો અમદાવાદમાં 35, અમરેલીમાં 35.8, વડોદરામાં 35.2, ભાવનગરમાં 33.3 અને ગાંધીનગરમાં 34.8 ડિગ્રી નોંધાયું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને સૈન્ય સહાયતા સ્થગિત કરી દીધી છે. વ્હાઈટ હાઉસના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પેની નીતિ શાંતિ પર કેન્દ્રિત છે, તેથી તેમના સહયોગીઓએ પણ આ લક્ષ્ય માટે પ્રતિબદ્ધ રહેવાની જરૂર છે. અમેરિકાએ સહાયતા રોકી છે અને તેની સમીક્ષા પણ કરી રહ્યું છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સ્કી અને વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ તથા તેમના ડેપ્યુટી વચ્ચે થયેલા જાહેર વિવાદના થોડા જ દિવસો પછી આ પગલું લેવામાં આવ્યું છે. આ ઘટનાક્રમથી યુક્રેન પર રશિયાની સાથે શાંતિ વાર્તા માટે સહમત થવા દબાણ વધવાની સંભાવના છે.
ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સિગ્નલ ફળીયા રોડ પર બિલાલ મસ્જિદ પાસે જૂનું બાંધકામ તેમજ રહેણાંક અને વાણિજ્ય હેતુ માટે ઉપયોગમાં લેવાતી જૂની બિલ્ડિંગમાં ભીષણ આગની ઘટના બની. બિલ્ડીંગમાં આવેલ 10થી વધુ મકાન અને દુકાનો આગની ચપેટમાં આવ્યા.