ભચાઉના અમરસર(નેર) ગામે ક્ષારીય જમીન સુધારણા અને પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને અપાયું માર્ગદર્શન
"સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ" ની યોજના અંતર્ગત અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય વિષય 'ચોમાસામાં ક્ષારવાળી જમીનનું વ્યવસ્થાપન અને ટકાઉ ખેતી' હતો. આ શિબિરમાં ગામના 50 જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને જમીનની ફળદ્રુપતા કેવી રીતે જાળવી રાખવી તેની સરળ સમજ આપવામાં આવી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડીને પ્રાકૃતિક ખેતી કરવાથી જમીન અને પાક બંનેને લાંબા ગાળે ફાયદો થાય છે.