ભાવનગરના લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ
કાર્યશાળાનો પ્રારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. કાર્યશાળામાં વિષય નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક કૃષિના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો, તેના ફાયદા અને મહત્વ, બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ, માનવ જીવનમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ વિશે કાર્યશાળા યોજવામાં આવી હતી. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતા સફળ ખેડૂતોના અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા.