Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ભાવનગરના લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ

કાર્યશાળાનો પ્રારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. કાર્યશાળામાં  વિષય નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક કૃષિના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો, તેના ફાયદા અને મહત્વ, બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ, માનવ જીવનમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ વિશે કાર્યશાળા યોજવામાં આવી હતી. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતા સફળ ખેડૂતોના અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા.

Gujarati

રાજનાથ સિંહે સીતાપુરમાં સંરક્ષણ જમીન પર બાંધવામાં આવનાર 250 મેગાવોટના સૌર ઉર્જા પ્રોજેક્ટને આપી મંજૂરી

બેટરી ઉર્જા સંગ્રહ પ્રણાલી (BESS) થી સજ્જ આ પ્રોજેક્ટ, સંરક્ષણ જમીન પર વિકસાવવામાં આવનારો પ્રથમ નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ હશે અને ભવિષ્યના સૌર અને ઉર્જા સંગ્રહ પ્રોજેક્ટ્સ માટે એક નવું ધોરણ સ્થાપિત કરશે.

850 એકર સંરક્ષણ જમીન પર વિકસાવવામાં આવનાર પ્રોજેક્ટ

Gujarati

કેન્દ્ર સરકારે કોલસા વિનિમય નિયમો, 2026 જારી કર્યા છે, જે ઉર્જા ક્ષેત્રમાં લાવે છે મોટા સુધારા

કોલસા મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવા નિયમો દેશમાં કોલસા વિનિમયની સ્થાપના માટે માર્ગ મોકળો કરે છે. તાજેતરમાં પસાર થયેલા ખાણ અને ખનિજ (વિકાસ અને નિયમન) સુધારા અધિનિયમ, 2025 હેઠળ ખનિજ વિનિમયની વિભાવનાને કાનૂની માન્યતા આપવામાં આવી હતી.

મુખ્ય જોગવાઈઓ

– કોલસા નિયંત્રક સંગઠન (CCO) ને કોલસા વિનિમયની નોંધણી અને નિયમન માટે જવાબદાર સત્તા બનાવવામાં આવી છે.
– પાત્ર સંસ્થાઓ CCO પાસેથી નોંધણી મેળવીને કોલસા વિનિમય સ્થાપિત અને સંચાલિત કરી શકશે.

Gujarati

વડોદરામાં પ્રગતિ પથ યાત્રા અંતર્ગત ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ GUVNLની મુલાકાત લેવાઈ

જેમાં પ્રથમ કાર્યક્રમ અંતર્ગત વડોદરા ખાતે આવેલા અત્યાધુનિક GUVNL ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના ડિજિટલ કંટ્રોલ રૂમની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, યુવાનો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાતના સ્માર્ટ એનર્જી નેટવર્કનું 'મગજ' ગણાતા આ કેન્દ્રની કાર્યપ્રણાલીને લાઈવ નિહાળી હતી. 

Gujarati

વિશ્વ ભૂગર્ભજળ દિવસ: પાણીને વારસો ગણો, સંસાધન નહીં, અને તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરો

સદીઓથી પૃથ્વીના ગર્ભમાં સંગ્રહિત અમૂલ્ય પાણી, જેણે માનવ સંસ્કૃતિને જીવન આપ્યું, આજે આપણા અનિયંત્રિત શોષણ અને અવિચારી વિકાસની કિંમત ચૂકવી રહ્યું છે. આ જ કારણ છે કે આ અદ્રશ્ય સંસાધનના મહત્વ, આવશ્યકતા અને સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 10 જૂને વિશ્વ ભૂગર્ભજળ દિવસ ઉજવવામાં આવે છે.

ભૂગર્ભજળ જીવનનો પાયો છે

Gujarati

નડિયાદ તાલુકાના મંજીપુરા ગામે પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખાતરોના સમતોલ ઉપયોગ અંગે ખેડૂત તાલીમ યોજાઈ

આ  કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને જીવામૃત, ઘન જીવામૃત, ગૌ આધારિત કૃષિ પદ્ધતિઓ તથા રાસાયણિક ખાતરોના સંકલિત અને સમતોલ ઉપયોગ દ્વારા જમીનની ફળદ્રુપતા જાળવવા તેમજ ઉત્પાદન ખર્ચ ઘટાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Gujarati

ગાંધીનગર જિલ્લામાં ‘પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ’ અંતર્ગત સઘન સફાઈ ઝુંબેશ યોજાઇ

ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર, કલોલ, માણસા અને દહેગામ તાલુકાના ગામોમાં આજની ખાસ થીમ આધારિત આ ઝુંબેશ યોજાઈ હતી, જેમાં સ્થાનિક ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

Gujarati

ઉનાળુ વેકેશન 2026માં અમદાવાદનું કાંકરિયા બન્યું પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ: 6.72 લાખ મુલાકાતીઓએ મજા માણી

પ્રાદેશિક આર્થિક વિકાસને વેગ આપવા માટે આ કોન્ફરન્સ દરમિયાન ફોકસ સેક્ટર તરીકે પ્રવાસન અને સંસ્કૃતિ ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં, અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ એ બાબતનું નોંધપાત્ર ઉદાહરણ બન્યું છે કે, કેવી રીતે સુવિકસિત પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાંસ્કૃતિક આકર્ષણો અને મનોરંજન સુવિધાઓ શહેરી વિકાસમાં યોગદાન આપી શકે છે, આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે અને વાઇબ્રન્ટ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે શહેરની સ્થિતિને મજબૂત બનાવી શકે છે. 

Gujarati

‘એક પેડ માઁ કે નામ’: રાજકોટ જિલ્લામાં 9મી જૂને છ તાલુકામાં થશે વૃક્ષારોપણ

9મી જૂને કોટડાસાંગાણી તાલુકામાં ઠાકોર મુળવાજી આર્ટ્સ કોલેજ ખાતે, જસદણમાં માધવીપુર સ્મશાન ખાતે, જામકંડોરણામાં સાજડીયાળી ગ્રામ પંચાયત ખાતે, પડધરીમાં ખજૂરડી-2 સમાજવાડી ખાતે, રાજકોટમાં ગઢકા ગ્રામ પંચાયત ખાતે, લોધિકામાં ખીરસરા આઈ.ટી.આઈ. ખાતે વૃક્ષારોપણ કરવામાં આવશે. દરમિયાન આજે ગોંડલ, જસદણ, જામકંડોરણા, પડધરી, લોધિકામાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ સાથે છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Gujarati

ગીરના સિંહોના જીવ બચાવવા કવાયત: પશુપાલન વિભાગ દ્વારા 13,000થી વધુ પશુઓ પર દવાનો છંટકાવ

જંગલના નેસડાઓમાં રહેતા પશુઓમાં જોવા મળતી ઈતરડીના કારણે આ રોગ સિંહોમાં ફેલાઈ રહ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે.સિંહોમાં સંક્રમણ અટકાવવા માટે વનવિસ્તારની આસપાસના નેસડાઓમાં વસતા માલધારીઓના પશુઓ માટે સઘન ટીક કંટ્રોલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.જૂનાગઢ જિલ્લાના ગીર વિસ્તારના 89 ગામો અને નેસડાઓને લક્ષ્ય બનાવી અત્યાર સુધીમાં 13,000થી વધુ પશુઓ પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply