રક્ષાબંધને બહેને નિભાવી રક્ષાની પરંપરા, અંગદાનથી 4 દર્દીઓને મળ્યું જીવનદાન
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીના જણાવ્યા મુજબ, મહિલાને ગંભીર બ્રેઈન હેમરેજ બાદ સારવાર માટે ICUમાં દાખલ કરવામાં આવી હતી. સઘન સારવાર છતાં 27 ઓગસ્ટના રોજ તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અંગદાન ટીમના ડૉ. નિમેશ દેસાઈએ પરિવારજનોને અંગદાન અંગે સમજ આપતાં પરિવારે સંમતિ આપી હતી.દાનમાં મળેલું હૃદય યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપિત કરવામાં આવશે, જ્યારે લીવર અને બંને કિડની IKDRC હોસ્પિટલના દર્દીઓમાં પ્રત્યારોપિત કરવામાં આવશે.ડૉ.