Skip to main content
Settings Settings for Dark

Live TV

X

અમરનાથ યાત્રા: અત્યાર સુધીમાં 3.83 લાખ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

આ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે. દરમિયાન, આજે મંગળવારે 1490 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુથી કાશ્મીર જવા રવાના થયો હતો. આમાંથી, 327 શ્રદ્ધાળુઓને લઈને 16 વાહનોનો પહેલો કાફલો સવારે  3:25 વાગ્યે બાલતાલ બેઝ કેમ્પ માટે રવાના થયો હતો, જ્યારે 1163 શ્રદ્ધાળુઓને લઈને 45 વાહનોનો બીજો કાફલો સવારે 3:57 વાગ્યે પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયો હતો. હવે યાત્રામાં ફક્ત 12 દિવસ બાકી છે.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેવઘર માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો, ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કરી કામના

મંગળવારે ઝારખંડના દેવઘરમાં બસ અકસ્માતમાં 5 કાવડીઓના મોત અને 20 થી વધુ ઘાયલ થયા એ સૌને આઘાત પહોંચાડ્યો છે. આ દુ:ખદ અકસ્માત પર શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. આ માહિતી મંગળવારે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું...

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષનો સમાપન સમારોહ યોજાયો

ભારતીય મજદૂર સંઘ આ મંત્રને લઈને જ અવિરત કાર્ય કરી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષની ઉજવણીનો સમાપન સમારોહ શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ યોજાયો હતો.મુખ્યમંત્રીએ શ્રમનું મહત્વ સમજાવતા જણાવ્યુ હતુ કે,  “હર હાથ કો કામ ઓર હર કામ કા સન્માન” એટલે દરેક કામને સન્માન મળવું જોઈએ. પોતાની ફરજમાં આવતા કાર્યને નિષ્ઠાપૂર્વકથી કરવું જોઈએ.

Gujarati

જમ્મુ અને કાશ્મીરના લિડવાસ વિસ્તારમાં 'ઓપરેશન મહાદેવ' હેઠળ સુરક્ષા દળોને મોટી સફળતા મળી,ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા

સેનાના જવાનોએ 'ઓપરેશન મહાદેવ' હેઠળ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર લિડવાસમાં થયું હતું, જ્યાં સેનાએ આતંકવાદીઓને ઘેરી લીધા હતા અને તેમને ઠાર માર્યા હતા.સેનાના ચિનાર કોર્પ્સે તેના X હેન્ડલ પર ઓપરેશન અંગે માહિતી શેર કરી હતી. એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, ઓપરેશન મહાદેવ: લિડવાસ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત થયો છે અને ઓપરેશન ચાલુ છે. આના થોડા સમય પછી, બીજી પોસ્ટમાં, ચિનાર કોર્પ્સે કહ્યું કે એન્કાઉન્ટર દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે અને ઓપરેશન હજુ પણ ચાલુ છે.

Gujarati

પીએમ જનમન હેઠળ ગુજરાતમાં પીએમ આવાસ-ગ્રામીણ યોજના અંતર્ગત 12,489 આવાસોને આપી મંજૂરી

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ (PVTGs) એટલે કે ખાસ નબળા આદિજાતિ જૂથોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરીને તેમના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલી કરવામાં આવેલ પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) મિશનના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં જુલાઈ 2025 માટે ટોચનું રાજ્ય બન્યું છે. પીએમ જનમન યોજનાના અમલીકરણ માટે દર મહિને સ્ટેટ રેંકિંગ જાહેર કરવામાં આવે છે, જેમાં જુલાઈ મહિનામાં ગુજરાત પ્રથમ સ્થાન પર છે. આ દર્શાવે છે કે આદિજાતિના વિકાસ અને કલ્યાણ માટે રાજ્ય સરકાર મજબૂત પ્રયાસો કરી રહી છે. 

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોગો માટેની રાષ્ટ્રીય સ્પર્ધામાં નામાંકનનો કરાવ્યો ઈ-પ્રારંભ

ગુજરાતના 75 વર્ષની આ ભવ્ય યાત્રાના પ્રતીકરૂપે સર્જનાત્મક અને અર્થપૂર્ણ ‘લોગો’ મંગાવી, તેને રાજ્યના આર્થિક નેતૃત્વ, ટેક્નોલોજીકલ પ્રગતિ, સાંસ્કૃતિક પ્રભુતા અને લોક કેન્દ્રિત શાસનને ઉજાગર કરવાનો શુભ આશય આ સ્પર્ધામાં રહેલો છે.

Gujarati

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાનો પાંચ દિવસીય જન્માષ્ટમી લોકમેળો યોજાશે

જે અન્વયે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તા.13/08/2025 થી તા.17/08/2025 સુધી સુરેન્દ્રનગર શહેરનો લોકમેળો “એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ”ના મેદાનમાં જ્યારે વઢવાણનો લોકમેળો  “વઢવાણ મેળાના મેદાન” ખાતે યોજાશે.

Gujarati

ભાનુબેન બાબરીયાએ થ્રી વ્હીલર યોજનાના લાભાર્થીઓની કોમ્પ્યુટરાઇઝ ડ્રોથી કરી પસંદગી

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આ યોજનાના લાભાર્થીઓની ગાંધીનગર ખાતેથી કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા લાભાર્થીઓને નજીવા દરે ધિરાણ આપવામાં આવશે.આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સમાજના તમામ વર્ગોની ખાસ કરીને અનુસૂચિત જાતિના નાગરિકોના સશક્તિકરણ અને તેમને સમાન તક આપવા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. આજે રાજ્યના 665 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે રૂ  7.32 કરોડથી વધુ ધિરાણ આપવા માટે પસંદગી કરાઈ છે.

Gujarati

રાજ્યની કુલ 556 ITIમાં 2.17 લાખ કરતાં વધુ બેઠકો પર વ્યવસાયિક તાલીમ સુવિધા ઉપલબ્ધ

આ રોજગારલક્ષી અભિયાનને વધુ બળ આપવા રાજ્યમાં 288 સરકારી, 100 ગ્રાન્ટ-ઇન-એઇડ અને 168 સ્વનિર્ભર સંસ્થાઓ મળી કુલ 556 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-આઈ.ટી.આઈ. કાર્યરત છે. આ ITIમાં અંદાજે 2.17 લાખ કરતાં વધુ બેઠકો પર વિવિધ વ્યવસાયિક તાલીમ સુવિધા આપવામાં આવે છે. આ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે 79 રાષ્ટ્રીય કક્ષાના અને 53 રાજ્ય કક્ષાના એમ કુલ  132 અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. જેમાં વર્તમાન જરૂરિયાત મુજબના IOT, ડ્રોન પાઈલોટ, સોલર ટેક્નિશિયન સહિતના એન્જિનિયરિંગ-નોન એન્જિનિયરિંગ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. 

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવના કર્યા દર્શન

મુખ્યમંત્રીએ ભગવાન ભોળાનાથના  દર્શન પૂજન કરીને સૌ નાગરિકોની શાંતિ, સુખાકારી અને રાજ્યની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.તેમણે ધોળેશ્વર મહાદેવના મહંત રામસ્વરૂપ પુરીજી સાથે મંદિર પરિસરમાં મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું.ગાંધીનગરના મેયર મીરાં બહેન પટેલે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply