ભારતીય રેલવેની મોટી જાહેરાત, દિવાળી-છઠ માટે ટ્રેન ટિકિટ પર મળશે ડિસ્કાઉન્ટ
તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. રક્ષાબંધનના થોડા દિવસો પછી ગણેશ ચતુર્થી, દુર્ગા પૂજા, દશેરા, દિવાળી અને પછી છઠ પૂજા સુધી ધૂમધામ રહેશે. આ ધૂમધામ ફક્ત ઘર અને બજારમાં જ નહીં, તેની સૌથી વધુ અસર ટ્રેનોમાં પણ જોવા મળે છે. તહેવારોની મોસમ દરમિયાન દર વખતે ભીડને નિયંત્રિત કરવા માટે રેલવે દ્વારા ખાસ આયોજન કરવામાં આવે છે.