ગીધના જતન અને સંવર્ધન માટે ગીધ રેસ્ટોરન્ટ બનાવવાનો નિર્ણય
ત્યારે ગીધના જતન અને સંવર્ધન માટે ગીધ રેસ્ટોરન્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.હાલોલ નગરપાલિકાની કારોબારી સભામાં આ નિર્ણય લેવાયો હતો કે,જિલ્લાના પાવાગઢ વિસ્તારમાં 15 જેટલા ગીધ પક્ષીની વસ્તી નોંધાતા તેના સંવર્ધન માટે 15 લાખ રૂપિયાના ખર્ચે રેસ્ટોરન્ટ બનાવાશે. 20 મીટર ઊંચી આ રેસ્ટોરન્ટમાં ગીધ માટે ખોરાક, પાણી તેમજ પક્ષીની જરૂરિયાત મુજબની તમામ વ્યવસ્થા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વન વિભાગે જટાયુ પ્રજાતિના 15 ગીધ પક્ષી પાવાગઢ ના ડુંગર વિસ્તારમાં હોવાની પુષ્ટિ કરી હતી.