ભાવનગરના શ્રી તખ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે CISF દ્વારા યોગ સત્ર યોજાયું
આ કાર્યક્રમ CISFના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મહેશ સિંઘના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ યોજાયો હતો. તેમના નિર્દેશન હેઠળ એરપોર્ટ સેક્ટર ગ્રુપ ભાવનગર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિવિધ યોગ અને જનજાગૃતિ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે.કાર્યક્રમનું સંચાલન ભાવનગરના અનુભવી યોગ પ્રશિક્ષિકા ડૉ. રેખાબેન જે. ડોબારીયા (એમ.) દ્વારા કરવામાં આવ્યું હતું. પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણથી સભર તખ્તેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આયોજિત આ યોગ સત્રએ સહભાગીઓને શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ તેમજ આત્મિક સંતુલનનો વિશેષ અનુભવ કરાવ્યો હતો.