બંધારણ દરેક નાગરિકને સ્વપ્ન જોવા અને તેમના સપના પૂરા કરવાનો અધિકાર આપે છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે બંધારણે સામાન્ય પરિવારના લોકોને પણ ઉચ્ચ સ્તરે દેશની સેવા કરવાની તક આપી છે. સંસદ અને બંધારણ પ્રત્યેની પોતાની લાગણીઓ શેર કરતા, તેમણે 2014માં સંસદના પગથિયાં પર નમન કરવાની અને 2019માં બંધારણને પોતાના માથા પર મૂકવાની ઘટનાને યાદ કરી. તેમણે કહ્યું કે બંધારણે અસંખ્ય નાગરિકોને સ્વપ્ન જોવા અને તેમના સપના પૂરા કરવાની શક્તિ આપી છે.
પ્રધાનમંત્રીએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. આંબેડકર અને બંધારણ સભાના પ્રતિષ્ઠિત મહિલા સભ્યોને બંધારણને સમૃદ્ધ બનાવવા બદલ યાદ કર્યા.