CMની રાજકોટવાસીઓને મોટી ભેટ, કરોડોના વિકાસ કાર્યોંનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે છે , ત્યારે તેઓએ રાજકોટવાસીઓને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટ મહાનગરપાલિકાના રૂપિયા 545 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહીત રાજકોટ મહાનગર પાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો થકી લાભાર્થીઓને આવાસની ફાળવણી કરી હતી. કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વિવિધ વિકાસના કાર્યો થકી રાજકોટમાં પાણીની સમાસ્યાનો ઉકેલ આવ્યો છે.