લેહમાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું પ્રદર્શન શરૂ, અમિત શાહે કર્યું ઉદ્ઘાટન
આ પ્રસંગે લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. બુદ્ધ પૂર્ણિમાના શુભ પ્રસંગે 75 વર્ષ પછી આ અવશેષોનું લદ્દાખમાં પરત ફરવું ઐતિહાસિક માનવામાં આવે છે.
75 વર્ષ પછી પવિત્ર અવશેષોનું પરત ફરવું, એક ખાસ પ્રસંગ
અમિત શાહે કહ્યું કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું લદ્દાખમાં પરત ફરવું એ "મણિકંચન" પ્રસંગ છે. તેમણે કહ્યું કે આ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ સહિત તમામ ધર્મોના લોકોને આધ્યાત્મિક ઉર્જા પ્રદાન કરશે.
ભગવાન બુદ્ધનો સંદેશ આજે પણ સુસંગત છે