પોરબંદરના માધવપુર ઘેડ ખાતે 91 કરોડથી વધુના ખર્ચે યાત્રાધામનો સર્વાંગી વિકાસ
આ મંત્રને સાકાર કરવા ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યના પવિત્ર-પ્રસિદ્ધ યાત્રાધામોનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે.ગુજરાતના અંબાજી, દ્વારકા, પાવાગઢ, બહુચરાજી જેવા આધ્યાત્મિક તીર્થ સ્થળોના 360 ડિગ્રી વિકાસની કડીમાં હવે પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આવેલ સુપ્રસિદ્ધ શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી યાત્રાધામનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.