ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે વીજ વિભાગ માટે 'ઊર્જા સંવર્ધનમ' વેબપોર્ટલ કર્યું લૉન્ચ
આ પોર્ટલ વીજ ઉત્પાદનથી માંડીને ગ્રાહકોના વીજ વપરાશ સુધીનો તમામ ડેટા સંગ્રહિત કરશે અને ભવિષ્યની યોજનાઓના અમલીકરણ માટે ચાવીરૂપ સાબિત થશે.પોર્ટલમાં રાજ્યના તમામ સબ સ્ટેશન અને સબ ડિવિઝનની માહિતી ફિડ કરવામાં આવી છે. આનાથી કયા વિસ્તારમાં અને કયા સમયે કેટલો વીજ વપરાશ થાય છે, તેનો રિયલ ટાઇમ ડેટા ઉપલબ્ધ થશે. ગ્રાહક સેવાઓ સુદૃઢ કરવા માટે વીજ વપરાશ ઉપરાંત લાઇન ટ્રીપ, શટ ડાઉનનો સમયગાળો જેવી તમામ માહિતી આ પોર્ટલ પરથી મળી રહેશે.