Skip to main content
Settings Settings for Dark

Live TV

X

સ્પીપા,અમદાવાદ ખાતે અખિલ ભારતીય સેવાના 82 અધિકારીઓ માટે સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સનો પ્રારંભ

જેના ઉદઘાટન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે માન.મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડેમીના જોઈન્ટ ડાયરેક્ટર  ઉદિત અગ્રવાલ ખાસ હાજર રહેલ હતા.

Gujarati

વડોદરાની ઓલરાઉન્ડર રાધા યાદવે કરી CM સાથે શુભેચ્છા મુલાકાત

રાધા યાદવનો આ વિજેતા મહિલા ટીમમાં ઓલરાઉન્ડર તરીકે સમાવેશ થયેલો હતો.તેમણે વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકા મહિલા ટીમ સામેની મેચમાં ભારતીય મહિલા ટીમમાં પહેલીવાર સ્થાન મેળવીને 20-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  રાધા યાદવનું શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું.તેમણે મહિલા વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા અને રાધા યાદવની વધુ ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ આપી હતી.આ અવસરે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનીષા વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

લાલ કિલ્લા બોમ્બ વિસ્ફોટની તપાસ NIA કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અગાઉ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં અનેક અધિકારીઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં સ્પષ્ટતા સ્થાપિત કરવા માટે NIAને દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસ સોંપવામાં આવશે.

દિલ્હી પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા હુમલાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમમાં 500 થી વધુ કર્મચારીઓ અને અન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે. વધુમાં, હુમલાના અન્ય પાસાઓની તપાસ કરવા માટે 1,000 થી વધુ CCTV કેમેરા સ્કેન કરવામાં આવી રહ્યા છે.

Gujarati

લાલ કિલ્લા બ્લાસ્ટ કેસ: સ્થળની નજીકના અનેક બજારો બંધ,શોધવામાં આવી રહ્યા છે પુરાવા

તેમનું કહેવું છે કે વિસ્ફોટને કારણે ઘણા કણો તેમની દુકાનો પર અને તેની આસપાસ પડ્યા હતા. આ કણો પોલીસ તપાસમાં મહત્વપૂર્ણ હોઈ શકે છે. પોલીસ અને તપાસ એજન્સીઓ તેમને એકત્રિત કરી રહી છે. આ કારણે બજારો બંધ કરવામાં આવ્યા છે.

ચાંદની ચોકનું મુખ્ય બજાર રાબેતા મુજબ ખુલ્લું છે અને શાળાઓ પણ ખુલ્લી છે.

આ દરમિયાન, લાલ કિલ્લાને પણ હાલ પૂરતું પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. ચાંદની ચોકનું મુખ્ય બજાર રાબેતા મુજબ ખુલ્લું છે અને શાળાઓ પણ ખુલ્લી છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પર કામગીરી સામાન્ય છે. લાલ કિલ્લા મેટ્રોનો ગેટ નંબર 2 અને બીજો ગેટ મુસાફરો માટે ખુલ્લો છે.

Gujarati

ભારતીય સંત સાહિત્ય અને આધ્યાત્મિક ચેતના: વડોદરામાં રાષ્ટ્રીય સેમિનારનું આયોજન

પ્રદેશ પ્રમાણે લોકોના રિવાજો અલગ છે, છતાં દેશ એકતાના સૂત્રમાં બંધાયેલો છે. અંગ્રેજોએ આપણા દેશના સ્વાભિમાનને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો, જેથી તેઓ શાસન કરી શકે. પરંતુ આપણા દેશનો આધ્યાત્મિક ભાવ આપણને વિવિધતાઓ વચ્ચે પણ એકતામાં બાંધે છે. આ વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર-સહકાર્યવાહ ડૉ. કૃષ્ણ ગોપાલે કહી હતી. તેઓ મંગળવારે ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટીમાં આયોજિત “ભારતીય સંત સાહિત્ય અને આધ્યાત્મિક ચેતના” વિષયક એકદિવસીય રાષ્ટ્રીય સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આપણા વૈદિક ઋષિઓએ આધ્યાત્મિકતાની શોધ કરી છે.

Gujarati

‘નશામુક્ત ભારત અભિયાન’ની પાંચમી વર્ષગાંઠ: ગુજરાતમાં 35 લાખથી વધુ નાગરિકો સહભાગી

જે અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં અંદાજિત કુલ 8 હજારથી વધુ રેલીઓ, સાઈન અભિયાન, સેમિનાર, નશામુક્તિ રથ જેવી વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત 35 લાખથી વધુ નાગરિકોએ સહભાગી બનીને આ અભિયાનને બહોળો સહયોગ-પ્રતિસાદ મળ્યો છે.

Gujarati

ભારત પર્વ–2025માં રાજસ્થાનની કઠપુતળી કળાએ જીવંત કર્યું,એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું ધ્યેય

એકતા નગરના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં યોજાયેલા આ ભવ્ય પર્વમાં રાજસ્થાનની કઠપુતળી કળાએ સૌનું મન જીતી લીધું છે. રંગબેરંગી વેશભૂષા, પરંપરાગત સંગીત અને જીવંત પાત્રોની રમઝટ વચ્ચે ભારતની પ્રાચીન કળાએ ફરી એક વાર પોતાની ઓળખ નોંધાવી છે.

Gujarati

દિલ્હી બ્લાસ્ટ: પ્રધાનમંત્રી મોદીનો કડક સંદેશ - 'ષડયંત્રકારોને બક્ષવામાં આવશે નહીં'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સવારે ભૂટાન પહોંચ્યા. અહીં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું, "આજનો દિવસ ભૂટાન માટે, ભૂટાનના રાજવી પરિવાર માટે અને વિશ્વ શાંતિમાં વિશ્વાસ રાખનારા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. સદીઓથી, ભારત અને ભૂટાન વચ્ચે ઊંડો, ઘનિષ્ઠ અને સાંસ્કૃતિક બંધન રહ્યું છે. તેથી, આ મહત્વપૂર્ણ પ્રસંગે ભાગ લેવાની ભારત અને મારી પ્રતિબદ્ધતા હતી. જોકે, હું આજે ખૂબ જ ભારે હૃદય સાથે અહીં આવ્યો છું."

સોમવાર સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ બધાને ખૂબ જ દુઃખી કર્યા છે.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની લોકસંસ્કૃતિના પ્રહરી પદ્મશ્રી સ્વ. જોરાવરસિંહ જાદવને શ્રદ્ધા સુમન કર્યા અર્પણ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહીને સ્વર્ગસ્થ આત્માને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.સ્વ. જોરાવરસિંહ જાદવ લેખક અને સંશોધક ઉપરાંત ગુજરાતની ધરતીને ધબકતી રાખનાર લોકકલાઓ અને લોકકલાકારોના જીવંત સંરક્ષક હતા. આકરું ગામથી શરૂ થયેલી તેમની લોકકલા સંવર્ધનની અનોખી સફર ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસનો એક આગવો અધ્યાય છે.

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે લીધી શુભેચ્છા મુલાકાત

રાજ્યપાલએ મનોજ કુમાર દાસને મુખ્યસચિવ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ તેમના કાર્યકાળ દરમ્યાન ગુજરાતની પ્રગતિ વધુને વધુ વિસ્તરતી રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. રાજ્યપાલએ જણાવ્યું કે, વહીવટી કામગીરી વધુ સરળ, સહજ અને જનઉપયોગી બની રહે તેવા પ્રયાસોને વેગ આપવો જોઈએ. 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply