ભગવાન બિરસા મુંડાના150માં જન્મ જયંતી વર્ષ નિમિત્તે રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
આ ઉપરાંત પ્રધાનમંત્રી આદિવાસીઓના આસ્થાના કેન્દ્ર સમાન દેવમોગરા માતાજીના દર્શનાર્થે પણ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી, તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.