વિવિધ નગરપાલિકા વિસ્તારોના 1000થી વધુ સફાઈ કર્મચારીઓ સોમનાથમાં કરી રહ્યા છે સ્વચ્છતાનું ભગીરથ કાર્ય
આ ભક્તિમય ઉત્સવમાં સોમનાથને સ્વચ્છ અને પવિત્ર બનાવવા માટે શહેરનું વહીવટીતંત્ર અને અનેક સફાઇ કર્મચારીઓ પોતાનું અતુલ્ય યોગદાન આપી રહ્યા છે. સોમનાથ મહાદેવના સાંન્નિધ્યમાં જે ભક્તિનો માહોલ જામ્યો છે, તેને સ્વચ્છતાના માધ્યમથી વધુ મનમોહક બનાવવામાં શહેરી વહીવટીતંત્ર અને સફાઈ કામદારોએ પાયાની ભૂમિકા ભજવી છે. વિવિધ નગરપાલિકાઓના સંકલન દ્વારા સ્વચ્છતાનું એક ભગીરથ કાર્ય અહીં સાકાર થઈ રહ્યું છે.