રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઉમરગામ તાલુકાના દેહરી ખાતે કર્યું વૃક્ષારોપણ
આ પ્રસંગે રાજ્યપાલએ ગામની દીકરીઓ દ્વારા કરવામાં આવેલ વૃક્ષ જતનના સંકલ્પને બિરદાવ્યો હતો. તેમણે કહ્યું કે, ત્રણ વર્ષની મહેનત ઓક્સિજનની માત્રામાં વધારો કરશે. પક્ષીઓને ઘર આપશે. છાંયડો આપશે.રાજ્યપાલએ વધુમાં ઉમેર્યું કે, ગ્લોબલ વોર્મિંગના કારણે અનેક પડકારો ઉભા થયા છે. જેનું સમાધાન વૃક્ષોનું વાવેતર અને જતન છે. વૃક્ષ દેવતા છે. તેના જતનનું ઈશ્વરીય પવિત્ર કાર્ય આત્માને સંતોષ આપશે.રાજ્યપાલએ ગ્રામવાસીઓને આહવાન કર્યું કે, વડીલોએ જે વૃક્ષો વાવ્યા તેનો આનંદ આપણને મળ્યો, હવે આપણી જવાબદારી બને છે કે આપણી ભાવિ પેઢી માટે વૃક્ષોનું વાવેતર અને જતન કરીએ.