કોચી કિનારે લાઇબેરિયન જહાજ ડૂબી ગયા બાદ ભારતીય કોસ્ટ ગાર્ડ હાઇ એલર્ટ પર
લાઇબેરિયન જહાજના તમામ (24) ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આમાંથી 21 લોકોને ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) દ્વારા અને ત્રણને ભારતીય નૌકાદળના જહાજ INS સુજાતા દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. ક્રૂમાં એક રશિયન (કેપ્ટન), બે યુક્રેનિયન, એક જ્યોર્જિયન અને 20 ફિલિપાઇન્સના નાગરિકો હતા.24 મેના રોજ બપોરે 1:25 વાગ્યે, MSC એલ્સા 3 માંથી ખામીની માહિતી આવી હતી, જ્યારે જહાજ કોચીથી લગભગ 38 નોટિકલ માઇલ દૂર હતું. જહાજ 26 ડિગ્રી જમણી તરફ ઝૂક્યું હતું અને ડૂબી જવાનો ભય હતો.