મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા કર્યા જાહેર
મુખ્યમંત્રીએ આ પ્રસંગે ગુજરાતની અસ્મિતા સમાન સિંહની વસ્તી ગણતરી અને વન્યજીવોના સંરક્ષણની પ્રતિબદ્ધતા દર્શાવતી વન અને પર્યાવરણ વિભાગની વિશેષ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.મુખ્યમંત્રીએ આ અવસરે પોતાના સંબોધનમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે કરવામાં આવેલ પ્રયાસોની રૂપરેખા આપી ‘પ્રોજેક્ટ લાયન @ 2047’ને મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો.