મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરમગામમાં 497 કરોડના વિકાસકામોનું કર્યું ખાતમુહૂર્ત
મુખ્યમંત્રીએ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે ઓવરબ્રિજ અને ભવનો સહિત કુલ 497 કરોડના વિવિધ વિકાસપ્રકલ્પોનું ખાતમુહૂર્ત સંપન્ન કર્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી માંડલ-બેચરાજી-વિરમગામ વિસ્તાર આજે દેશનો મહત્વનો SIR અને ઓટો હબ બની ગયો છે.છેલ્લા 3 વર્ષમાં આ વિસ્તારમાં ₹488 કરોડના રસ્તા અને બ્રિજના કામો પૂર્ણ થયા છે. નવા પ્રોજેક્ટ્સથી પરિવહન ઝડપી બનશે અને ઈંધણની બચત થશે.રૈયાપુર ખાતે ₹91 કરોડના ખર્ચે બનનારા રેલવે ઓવરબ્રિજથી કોકતા ફાટક પરની ટ્રાફિક સમસ્યા કાયમી ધોરણે હલ થશે.