પોલીસ જવાનો આપત્તિના સમયે 'ફર્સ્ટ રિસ્પોન્ડર' તરીકે સક્ષમ બને તેવા હેતુથી વિશેષ તાલીમ સત્ર યોજાયું
કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિના સમયે પોલીસ વિભાગ અગ્રેસર રહીને કામગીરી કરતો હોય છે. આ નવનિયુક્ત જવાનો ફિલ્ડમાં ફરજ દરમિયાન કટોકટીની પળોમાં ત્વરિત અને યોગ્ય નિર્ણય લઈ નાગરિકોની અમૂલ્ય જિંદગી બચાવી શકે, તેવા ઉમદા આશય સાથે આ ક્ષમતાવર્ધન તાલીમનું આયોજન ડીપીઓ સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.