દિલ્હી અને ઉત્તર ભારતના અનેક એરપોર્ટ પર ફ્લાઇટ્સ પ્રભાવિત, ટ્રાવેલ એડવાઇઝરી જાહેર
ટ્રાવેલ એડવાઇઝરીમાં જણાવાયું છે કે ધુમ્મસને કારણે ઘણા એરપોર્ટ પર દૃશ્યતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી ધીમી પડી ગઈ છે. પરિણામે, કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી રહી છે.ઇન્ડિગોએ તેના સત્તાવાર 'X' એકાઉન્ટ દ્વારા આ માહિતી શેર કરી. એરલાઇને 'X' પોસ્ટમાં લખ્યું છે કે, વર્તમાન હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, વ્યવસ્થિત અને સલામત કામગીરી સુનિશ્ચિત કરવા માટે ફ્લાઇટ પ્રસ્થાન અને આગમનમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ઇન્ડિગો ટીમો સતત પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે અને ધુમ્મસની સ્થિતિ અનુસાર કામગીરીનું સંચાલન કરી રહી છે.