Skip to main content
Settings Settings for Dark

Live TV

X

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં આવેલ ફન-બ્લાસ્ટ ગેમ ઝોનની લીધી મુલાકાત

આંગણવાડીના બાળકો સાથે સંવાદ કર્યો હતો અને હળવાશની પળો માણી હતી.રાજ્યસરકારના  'રમશે બાળક, ખીલશે બાળક' અભિયાન અંતર્ગત આંગણવાડીના બાળકો માટે ખાસ આ મનોરંજન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

Gujarati

ભારતીય રેલ્વે: દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ સહિત 48 સ્ટેશનોની ક્ષમતા આગામી પાંચ વર્ષમાં કરવામાં આવશે બમણી

સરકાર આગામી પાંચ વર્ષમાં 48 મુખ્ય શહેરોમાં રેલ્વે સ્ટેશનોની ટ્રેન હેન્ડલિંગ ક્ષમતા બમણી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.સરકાર જે શહેરોમાં રેલ્વે સ્ટેશનોની ટ્રેન હેન્ડલિંગ ક્ષમતા બમણી કરવાની યોજના ધરાવે છે તેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલુરુ, પટના, લખનૌ, ચંદીગઢ, જયપુર, ભોપાલ, ગુવાહાટી, વારાણસી, આગ્રા, પુરી, કોચીન, કોઈમ્બતુર, વડોદરા, સુરત, અમૃતસર, લુધિયાણા, વિશાખાપટ્ટનમ, તિરુપતિ, કોઈમ્બતુર, વિજયવાડા અને મૈસુરનો સમાવેશ થાય છે.

Gujarati

અમદાવાદ જીલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR)2025 વિશેષ કેમ્પનું આયોજન

ઉલ્લેખનીય છે કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા 1-1-2026ની લાયકાતની તારીખે ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SIR)ની બીજા તબક્કાની કામગીરી હાલ પ્રક્રિયામાં છે. જેમાં મતદારો પોતાના વાંધા તેમજ હક-દાવાઓ રજૂ કરી શકે છે.

Gujarati

દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં AQI 400 ને વટાવ્યો , આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા

નોઇડામાં, સેક્ટર 1 માં AQI 410 નો રેકોર્ડ કરવામાં આવ્યો છે, જે ગંભીર શ્રેણીમાં આવે છે. દરમિયાન, સેક્ટર 116 માં AQI 386, સેક્ટર 125 માં 367 અને સેક્ટર 62 માં 347 નો રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે નોઇડાના મોટાભાગના ભાગોમાં ગંભીર વાયુ પ્રદૂષણનો અનુભવ થઈ રહ્યો છે.

Gujarati

જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને અમરેલી ખાતે ફ્લેગશીપ ઇવેન્ટ-ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામ સંપન્ન

આ અંતર્ગત રાજ્ય સરકારના કૃષિમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા ફ્લેગશીપ ઈવેન્ટ-ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લામાં ઉદ્યોગ, રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે એગ્રો અને ફૂડ, કેમિકલ, એન્જીનિયરીંગ, ટેક્સટાઇલ, પ્લાસ્ટિક અને પાવર સહિતના સેકટરમાં કુલ રૂ.  908 કરોડથી વધુની રકમના 31 એમ.ઓ.યુ (Memorandum Of Understanding) સાઈન અને એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. આ અન્વયે જિલ્લામાં રોજગારીના 1400થી વધુ નવા અવસરોનું સર્જન થશે, સાથે જિલ્લામાં ઓદ્યોગિક વિકાસના નવા અધ્યાયનો આરંભ થશે.  

Gujarati

અયોધ્યા: ભગવાન શ્રી રામ લલ્લાના અભિષેકની બીજી વર્ષગાંઠ 31 ડિસેમ્બરે આવશે ઉજવવામાં

આ પરંપરાને અનુસરીને, પ્રથમ વર્ષગાંઠ 11 જાન્યુઆરી, 2025 ના રોજ ઉજવવામાં આવી હતી. બીજી વર્ષગાંઠ માટે ધાર્મિક વિધિઓ 27 ડિસેમ્બર, 2025 ના રોજ શરૂ થશે. મુખ્ય સમારોહ 31 ડિસેમ્બરે યોજાશે, જ્યારે પૂજા, ધાર્મિક વિધિઓ અને અન્ય ધાર્મિક કાર્યક્રમો 2 જાન્યુઆરી, 2026 સુધી ચાલુ રહેશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. પૂજા અને ધાર્મિક વિધિઓ જગદગુરુ માધવાચાર્યજીની દેખરેખ હેઠળ કરવામાં આવશે.

Gujarati

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષ બ્રિજનું કરાશે રીસ્ટોરેશન અને વિસ્તરણ

આ યોજના અંતર્ગત વર્તમાન બ્રિજની સલામતી, ભવિષ્યની ટ્રાફિક માંગ અને લાંબા ગાળાની ઉપયોગિતા ધ્યાનમાં રાખીને બે ફેઝમાં કામગીરી હાથ ધરવામાં આવશે.સુભાષ બ્રિજ રાણીપ અને શાહિબાગ વિસ્તારોને જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે. વર્ષ 1973માં નિર્મિત આ બ્રિજ છેલ્લા 52 વર્ષથી કોઈ મોટી તકલીફ વિના કાર્યરત રહ્યો હતો. જો કે, તારીખ 4 ડિસેમ્બર 2025ના રોજ બ્રિજના ડેકમાં તિરાડ તથા સુપરસ્ટ્રક્ચરમાં સેટલમેન્ટ જોવા મળતાં, સલામતીના હિતમાં બ્રિજને ટ્રાફિક માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Gujarati

બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ સતત થઈ રહેલી હિંસા ગંભીર ચિંતાનો વિષય: ભારત

શુક્રવારે સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું હતું કે, ભારત મયમનસિંઘમાં એક હિન્દુ યુવકની હત્યાની કડક નિંદા કરે છે અને આશા રાખે છે કે આ જઘન્ય અપરાધના દોષિતોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના કાર્યકાળ દરમિયાન લઘુમતીઓ વિરુદ્ધ 2,900 થી વધુ હિંસક ઘટનાઓ નોંધાઈ છે, જેમાં હત્યા, આગચંપી અને જમીન પચાવી પાડવા જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે.

Gujarati

હરિયાણા વિધાનસભાના ધારાસભ્યઓનું પ્રતિનિધિ મંડળ ગુજરાત વિધાનસભાની મુલાકાતે

આ અભ્યાસ પ્રવાસના ભાગરૂપે પ્રતિનિધિ મંડળે આજે ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી, જ્યાં એડવાઇઝરી, ફાઈનાન્સિયલ, એક્શન ટેકન રિપોર્ટ, ટુરિઝમ વિભાગની કામગીરી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.આ પ્રસંગે હરિયાણા વિધાનસભા જાહેર સાહસ સમિતિના અધ્યક્ષ અને ધારાસભ્ય રામકુમાર ગૌતમે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રજાલક્ષી વિકાસકાર્યો થકી દેશને નવી દિશા મળી છે. ગૌતમે ગુજરાત વિધાનસભાના અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર,લાયબ્રેરી સુવિધાઓ, અધિકારી-કર્મચારીઓની કાર્યપ્રણાલી સહિતની કામગીરીની ખૂબ પ્રશંસા કરી હતી. 

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો વોરાકોટડા પાસે 40 ગામના ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ

આ સાથે રાજ્યપાલએ 'ઝેરમુક્ત ભારત: ગાય, ગામ, કૃષિ યાત્રા' - ગોંડલથી સોમનાથ સુધીની પદયાત્રાને પણ પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતી છોડી દેવાથી ઉત્પાદન ઘટશે તેવો ભય ખેડૂતોમાં છે, પરંતુ મારા સહિત અનેક ખેડૂતોના અનુભવો છે કે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટતું નથી પરંતુ ગુણવત્તાયુક્ત થાય છે અને વધે છે. વળી, પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ પણ સાવ નહિવત હોય છે.
 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply