Skip to main content
Settings Settings for Dark

Live TV

X

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનના તિયાનજિન પહોંચ્યા, SCO સમિટમાં આપશે હાજરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ચીનના તિયાનજિન પહોંચ્યા. ચીનના ઉદ્યોગ અને માહિતી ટેકનોલોજી મંત્રી લી લેચેંગ, તિયાનજિન સરકારના ડિરેક્ટર યુ યુનલિન અને ચીનના રાજદૂત ઝુ ફેઇહોંગે ​​પીએમ મોદીનું સ્વાગત કર્યું. તેઓ અહીં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં હાજરી આપશે. સમિટ દરમિયાન, પ્રધાનમંત્રી મોદી સમિટમાં ભાગ લેનારા ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરે તેવી અપેક્ષા છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટમાં કહ્યું, "હું ચીનના તિયાનજિન પહોંચી ગયો છું. SCO સમિટમાં વિવિધ વિશ્વ નેતાઓ સાથે ચર્ચા અને મુલાકાતની રાહ જોઈ રહ્યો છું.

Gujarati

પ્રધાનમંત્રી મોદીએ જાપાનના પ્રધાનમંત્રી અને તેમના પત્નીને અનોખી ભેટો આપી, સાંસ્કૃતિક સંબંધોને આપી નવી તાકાત

પ્રધાનમંત્રી મોદીએ જાપાનના પ્રધાનમંત્રીને કિંમતી પથ્થરો અને ચાંદીના ચૉપસ્ટિક્સથી બનેલો બાઉલ સેટ ભેટમાં આપ્યો છે. આ અનોખો સેટ ભારતીય કારીગરી અને જાપાની ખાદ્ય પરંપરાનો સંગમ છે. તેમાં એક મોટો બ્રાઉન મૂનસ્ટોન બાઉલ, ચાર નાના બાઉલ અને ચાંદીના ચૉપસ્ટિક્સનો સમાવેશ થાય છે. તેની ડિઝાઇન જાપાનના ડોનબુરી અને સોબા ખાવાની વિધિઓથી પ્રેરિત છે.

Gujarati

રાજ્યમાં જન્મ-મરણની નોંધણી તા.1 સપ્ટેમ્બર,2025થી હવે કેન્દ્ર સરકારના CRS Portal પર કરવાની રહેશે

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર CRS Portal પર જન્મ અને મરણના બનાવોની નોંધણી સરળતાથી થઇ શકશે.જે અંતર્ગત જિલ્લાના અને મહાનગરપાલિકાના જન્મ-મરણ રજીસ્ટ્રારઓને રાજ્ય કક્ષાએથી CRS Portal અંગે તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામપંચાયતના સરકારી તથા ખાનગી હોસ્પિટલના સ્ટાફને પણ તાલીમ આપવામાં આવી છે. વધુમાં, આ પોર્ટલ સંદર્ભે કોઈ પણ જાતના પ્રશ્ન ન ઉદભવે તે માટે ભારત સરકારની ટીમ દ્વારા ડિજિટલ માધ્યમ થકી દેખરેખ રાખવામાં આવશે અને પ્રશ્નોનું સમાધાન કરવામાં આવશે.

Gujarati

સોશિયલ મીડિયા પર આપની સમસ્યાની એક પોસ્ટ, ગુજરાત પોલીસ એકશનમાં

કેનેડામાં રહેતા આ યુવાનને લગ્નના કપડાંનું બુકિંગ રદ કરવા છતાં વડોદરાના એક વેપારી પૈસા પરત આપતા ન હતા. યુવાને X (ટ્વિટર) પર ગુજરાત પોલીસને ટ્વીટ કરીને ફરિયાદ કરી, જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને વેપારીએ બીજા જ દિવસે નાણાં પરત કર્યા. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસની GP-SMASH ટીમને તથા વડોદરા પોલીસની ટીમને અભિનંદન પાઠવ્યા છે. 

Gujarati

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વિચારો આજે પણ રાષ્ટ્ર નિર્માણ માટે માર્ગદર્શક છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા રાજભવન ખાતે વૈદિક પ્રચાર પ્રસાર ચિંતન ગોષ્ઠી યોજાઇ હતી. વૈદિક મંત્રોચ્ચારથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.રાજ્યપાલએ કહ્યું કે, મહર્ષિ દયાનંદનું જીવન સંઘર્ષ, બલિદાન અને હિંમતથી ભરેલું હતું. તેમણે મૂર્તિપૂજા, જાતિવાદ અને કુરિવાજો સામે અવાજ ઉઠાવીને સમાજને જાગૃત બનાવવાનું કામ કર્યું હતું. તેમના શબ્દો અને વિચારોએ સ્વતંત્રતા ચળવળને નવી ચેતના આપી હતી. મહાત્મા ગાંધી, લાલા લજપત રાય, સ્વામી શ્રદ્ધાનંદ જેવા અનેક મહાપુરુષોએ તેમનામાંથી પ્રેરણા લીધી હતી.

Gujarati

’યોગ’ બનશે વિકસિત ગુજરાત થકી “વિકસિત ભારત@2047”નો આધારસ્તંભ

આ વિઝનને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આરોગ્ય, શિક્ષણ, કૃષિ, ઔદ્યોગિક જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહી છે. જેમાં ‘યોગ’ પર સરકારે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે જો રાજ્ય અને દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવું હોય તો ‘યોગ’ તેનો સૌથી મજબૂત આધારસ્તંભ બની શકે છે.

Gujarati

સિવિલના તબીબોની 11કલાકની અથાક મહેનતે આપ્યું 11 પીડિતોને નવજીવન

પ્રથમ કિસ્સામાં બોરસદ, આણંદ નજીક અંબેરાપુરા ખાતે રહેતા 19 વર્ષના યુવાન વિપુલ વાઘેલાને પોતાના ઘરે થી કામ ઉપર જતા બાઇક ઉપર થી પડી જતા માથાના ભાગે ઇજા થઇ હતી. 

Gujarati

ઉત્પાદિત બીજના વેચાણ માટે હાલમાં નિગમ પાસે કુલ 1289 અધિકૃત બીજ વિક્રેતાનું વિશાળ નેટવર્ક ઉપલબ્ધ

જો બીજ જ ઉત્તમ ન હોય, તો જમીન, પાણી, ખાતર અને ખેડૂતની મહેનત જેવા બધા જ પરિબળો નિરર્થક સાબિત થાય છે. ગુણવત્તાયુક્ત બિયારણ ખેતી ખર્ચ ઘટાડીને અને ઉત્પાદન વધારીને ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે. ગુજરાતના ખેડૂતોને ગુણવત્તાસભર અને પ્રમાણિત બિયારણ પૂરું પાડીને તેમની આવક વધારવાના શુભ આશય સાથે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા બિયારણનું ઉત્પાદન અને વિતરણ કરવામાં આવે છે. બીજ નિગમ દ્વારા રાજ્યના છેવાડાના ખેડૂતો સુધી સમયસર, યોગ્ય અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતું બિયારણ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.

Gujarati

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગળતેશ્વર મહાદેવના દર્શન કરીને જનસુખાકારી માટે કરી પ્રાર્થના

ઠાસરા તાલુકાના સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાન ઉપર આવેલા પૌરાણિક ગળતેશ્વર મહાદેવના  પૂજન અર્ચન બાદ મુખ્યમંત્રીએ મંદિરની પરિક્રમા કરી હતી. તેમણે આ પૌરાણિક મંદિરના સ્થાપત્યને નિહાળ્યુ હતુ અને ગાલ્વ ઋષિના માહત્મ્યથી પરિચિત થયા હતા.

આ તકે મુખ્યમંત્રીની સાથે સાંસદ  દેવુસિંહ ચૌહાણ,પંચમહાલના સાંસદ રાજપાલ સિંહ જાદવ, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર  અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, પોલીસ અધિક્ષક  વિજય પટેલ, વન સંરક્ષક મિતલબેન સાવંત અને  આનંદકુમાર ઉપસ્થિત અને અગ્રણી નયનાબેન પટેલ સહભાગી બન્યા હતા.

Gujarati

જાપાનની ટેકનોલોજી અને ભારતની પ્રતિભા વૈશ્વિક ક્રાંતિ લાવી શકે છે: પ્રધાનમંત્રી

જાપાનના મહત્વને પુનરાવર્તિત કરતા,પ્રધાનમંત્રીએ જાપાની ઉદ્યોગપતિઓને મેક ઇન ઇન્ડિયા અને મેડ ફોર ધ વર્લ્ડ માટે વિનંતી કરી.આર્થિક મંચની બેઠકમાં સભાને સંબોધતા, પ્રધાનમંત્રીને કહ્યું, "મને ખુશી છે કે મારી મુલાકાત વ્યાપાર નેતાઓથી શરૂ થાય છે. જાપાન હંમેશા ભારતની વિકાસ યાત્રામાં મુખ્ય ભાગીદાર રહ્યું છે. મેટ્રો રેલથી ઉત્પાદન સુધી, સેમિકન્ડક્ટરથી સ્ટાર્ટઅપ્સ સુધી, દરેક ક્ષેત્રમાં અમારી ભાગીદારી પરસ્પર વિશ્વાસનું પ્રતીક બની ગઈ છે." તેમણે કહ્યું કે જાપાની કંપનીઓએ ભારતમાં $40 બિલિયનથી વધુનું રોકાણ કર્યું છે. છેલ્લા બે વર્ષમાં જ $13 બિલિયનનું ખાનગી રોકાણ કરવામાં આવ્યું છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-09-2026 Max Temp : °C Min Temp : °C
apply