કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસામ રાજભવનમાં બ્રહ્મપુત્ર વિંગનું કર્યું ઉદ્ઘાટન
આ નવનિર્મિત સંકુલમાં રાજ્યપાલ કાર્યાલય, અધિક કમિશનર કાર્યાલય, કોન્ફરન્સ રૂમ, વેઇટિંગ રૂમ, લાઇબ્રેરી, રાજ્યપાલ સ્યુટ અને રાષ્ટ્રપતિ સ્યુટ જેવી સુવિધાઓ છે. આ પ્રસંગે આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, આસામના ભૂતપૂર્વ રાજ્યપાલ અને પંજાબના વર્તમાન રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા, ભૂતપૂર્વ રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, પ્રો. જગદીશ મુખી, આસામ સરકારમાં મંત્રી રણજીત કુમાર દાસ, રાજ્યના મુખ્ય સચિવ રવિ કોટા અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.ઉદઘાટન પહેલાં, અમિત શાહે ગાયની પૂજા કરી અને રાજભવન પરિસરમાં એક છોડ પણ વાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ડૉ.