લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી મોદીએ ચેતવણી આપી,જો દુશ્મન પ્રયાસ કરશે તો તેને યોગ્ય જવાબ મળશે
સેનાએ સેંકડો કિલોમીટર દુશ્મનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો અને ઇમારતોને ખંડેરમાં ફેરવી દીધી. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે 22 એપ્રિલે પહેલગામમાં સરહદ પારથી આવેલા આતંકવાદીઓએ નિર્દોષ લોકોની હત્યા કરી. લોકોને તેમનો ધર્મ પૂછીને મારી નાખવામાં આવ્યા, પતિને પત્નીની સામે ગોળી મારી દેવામાં આવી અને પિતાને બાળકોની સામે ગોળી મારી દેવામાં આવી. આ ઘટનાથી આખો દેશ ગુસ્સે ભરાયો હતો અને દુનિયા પણ આક્રોશમાં હતી. 'ઓપરેશન સિંદૂર' આ આક્રોશનું પરિણામ હતું.