પોપ ફ્રાન્સિસના નિધન પર તેમના સન્માનમાં સમગ્ર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક
ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની ઉંમરે લાંબી બીમારી બાદ સોમવાર સવારે એટલે કે ઈસ્ટર મંડેના દિવસે નિધન થયું છે. આ વર્ષે ડબલ નિમોનિયાથી પીડિત થયા બાદ પોપ ફ્રાન્સિસ 38 દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન એવા પોપ ફ્રાન્સિસના અવસાન પર દુનિયાભરના દિગ્ગજોએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, પોપ ફ્રાન્સિસ ભારતીયો પ્રત્યે ખાસ સ્નેહ રાખતા હતા. આ વચ્ચે તેમના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
સમગ્ર ભારતમાં રાષ્ટ્રીયધ્વજ અડધો ઝુકાવવામાં આવશે