Skip to main content
Settings Settings for Dark

Live TV

X

અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરના મુખ્ય શિખર પર કળશ સ્થાપિત કરવામાં આવ્યો

અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરના મુખ્ય શિખર પર બ્રાહ્મણોની હાજરીમાં વૈદિક વિધિ સાથે કળશ સ્થાપિત કરવામાં આવ્યો. આ પવિત્ર કાર્ય સવારે ૯:૧૫ વાગ્યે શરૂ થયું અને શિખર પર કળશની સ્થાપના સવારે ૧૦:૩૦ વાગ્યે પૂર્ણ થઈ.

Gujarati

ડૉ.બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિત્તે રાજ્યમાં વિવિધ જગ્યાએ કાર્યક્રમો યોજાયા

ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નડિયાદમાં ભાજપ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું કરાયું આયોજન, કાર્યક્રમમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ, વિધાનસભાના ધારાસભ્ય પંકજ દેસાઈની ઉપસ્થિતિમાં સંતરામ રોડ પર આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાસુમન કરાયા અર્પણ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા.

Gujarati

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો દીક્ષાંત સમારંભ યોજાયો

અમદાવાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો દીક્ષાંત સમારંભ યોજાયો.

રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે 18,108 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી. 39 વિધાર્થીઓને ગોલ્ડ મેડલ અને 40 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવ્યા.

કાર્યક્રમમાં કુલપતિ પ્રો. ડૉ. અમીબેન ઉપાધ્યાય ઉપરાંત શિક્ષણમંત્રી  ઋષિકેશ પટેલ તેમજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરીયા તેમજ સારસ્વત અતિથિ તરીકે જગદીશ મામિદલા ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

નાણાકીય વર્ષ 2026માં ભારતનો GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહી શકે છે: ક્રિસિલ

ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલે જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2026માં ભારતનો GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહી શકે છે. યુએસ ટેરિફમાં વધારો હજુ પણ વૃદ્ધિ માટે જોખમ છે. RBIની હળવી નાણાકીય નીતિ કેટલાક બાહ્ય પડકારોને સરભર કરશે.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણામાં અનેક પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, પીડિતોથી વંચિતો સુધી, આદિવાસીઓ મહિલાઓ સુધી, ગરીબોથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સુધી, તેમના દરેક પ્રયાસનો ઉદ્દેશ્ય તેમના જીવનમાં પરિવર્તન લાવવા અને તેમની આકાંક્ષાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાનો છે.

બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમની જન્મજયંતિ દલિતો, વંચિતો અને પછાત સમુદાયો માટે "દિવાળી" જેવી છે. બાબાસાહેબના મંત્ર અનુસાર કામ કરીને, શ્રી કૃષ્ણના જન્મસ્થળથી ભગવાન રામના જન્મસ્થળ, અયોધ્યા સુધી હવાઈ સેવા શરૂ થઈ ગઈ છે.

Gujarati

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ સમિટનું ઉદઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ સમિટનું ઉદઘાટન કર્યું.

Gujarati

CM ભુપેન્દ્ર પટેલે ડૉ. ભીમરાવ આંબેડકરને વિધાનસભા પોડિયમ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા પોડિયમ ખાતે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના તૈલચિત્રને શ્રધ્ધાંજલિ અપર્ણ કરી હતી  તેમજ વિધાનસભાની સામે પણ બાબસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અપર્ણ કરીને નમન કર્યું હતું. તેમની સાથે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી ભાનુબેન બાબરિયા સહિત ગાંધીનગર મહાનગરપાલિકા મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, સહિત મહાનગરપાલિકા પદાધિકારીઓ અને વિધાનસભા કર્મચારીઓએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 

અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન

Gujarati

રાષ્ટ્રપતિ મૂર્મૂ અને ઉપરાષ્ટ્રપતિએ સંસદમાં ડૉ. ભીમરાવ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી

આંબેડકર જયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ સહિત અનેક અગ્રણી નેતાઓ સંસદ સંકુલમાં પ્રેરણા સ્થળ પર બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 14 એપ્રિલ, 1891ના રોજ મધ્યપ્રદેશના લશ્કરી છાવણી (મહૂ)માં જન્મેલા ડૉ. આંબેડકર એક મહાન કાયદાશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, સમાજ સુધારક અને રાજકારણી હતા.

Gujarati

ગુજરાતના દરિયાકિનારેથી 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ ઝડપાયું, કોસ્ટગાર્ડ-ATSનું સંયુક્ત ઓપરેશન

રાજ્યના દરિયાકિનારેથી ફરીથી ડ્રગ્સનો મસમોટો જથ્થો મળી આવ્યો છે.ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાતના ATSએ કાર્યવાહી કરીને 1800 કરોડની કિમતનું 300 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે... પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાંથી આ ડ્રગ્સ મળ્યું છે.  ATSને મળેલ બાતમીને આધારે IMBL નજીક મોડી રાત્રે એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી. આ બોટમાં સવાર લોકોને જાણ થતા જ તેઓ તમામ ડ્રગ્સ પાણીમાં ફેંકીને સરહદ પાર કરીને ભાગી ગયા હતા .. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી જાણકારી આપી હતી. 

ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSને મળી મોટી સફળતા 

Gujarati

યુક્રેન પર રશિયાનો બેલિસ્ટિક મિસાઈલથી હુમલો, 32 લોકોએ ગુમાવ્યા જીવ

રશિયાએ યુક્રેન પર ફરી એકવાર ભીષણ હુમલો કર્યો છે.. યૂક્રેનના સુમી શહેર પર થયેલા હુમલામાં 32 લોકોએ જીવ ગુમાવ્યા છે.. ઉત્તરપૂર્વીય યુક્રેનના સુમી શહેર પર રશિયન બેલિસ્ટિક મિસાઈલ હુમલામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.. આ હુમલામાં શહેરના મેયરનો જીવ પણ માંડ માંડ બચ્યો હતો.. આ હુમલો ત્યારે થયો છે, જ્યારે લોકો પામ સન્ડે નિમિત્તે ચર્ચની પ્રાર્થના સભામાં હાજરી આપવા જઈ રહ્યા હતા...ઉલ્લેખનીય છે કે, આ બેલિસ્ટિક મિસાઈલ હુમલાના એક દિવસ પહેલા જ રશિયા અને યુક્રેનના વરિષ્ઠ રાજદ્વારીઓએ એકબીજા પર અમેરિકાના નેતૃત્ત્વવાળી બંને દેશો વચ્ચે ચાલી રહેલી મંત્રણામાં નક્કી થયેલ શાંતિ સમજૂતી ભંગ કરવાનો આરોપ મૂક્યો હતો. 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply