રાજપીપળામાં રત્નસિંહજી મહીડા મેમોરિયલ એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો
રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાના ૫૩ તાલુકાના આદિજાતિ સમુદાયનો સર્વગ્રાહી ઉત્કર્ષ પ્રધાનમંત્રીના દિશાદર્શનમાં રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
નર્મદા જિલ્લામાં શિક્ષણ જગતના સ્વ.રત્નસિંહ મહીડાના નામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રત્નસિંહ મહીડા મેમોરિયલ એવોર્ડની શરૂઆત કરવામાં આવી.
આ એવોર્ડ શિક્ષણ જગતમાં કરેલ સારી કામગીરી બદલ પ્રથમ વર્ષે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી-રાજપીપળાના પ્રથમ કુલપતિ ડૉ. મધુકર પાડવી અને અને આંધ્ર યુનિવર્સિટી-વિશાખાપટ્ટનમના પ્રથમ આદિવાસી મહિલા વી.સી. ડૉ.એસ પ્રશન્નાશ્રીને આપવામાં આવ્યો.