Skip to main content
Settings Settings for Dark

Live TV

X

અંકલેશ્વરના પાનોલીમાં જલ એકવા કંપનીમાં ભીષણ આગ, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પાનોલીમાં ફરીવાર આગનો બનાવ બન્યો છે. પાનોલીમાં આવેલી જલ એકવા કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી વિકરાળ છે કે, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યું છે. વિકરાળને પગલે ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળે પર પહોંચી ગઈ છે. 

આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

Gujarati

PM મોદી, અમિત શાહ સહિત ઘણા નેતાઓએ ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવી 

બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની આજે જન્મજયંતિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓએ બાબાસાહેબને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. 

ભારત રત્ન પૂજ્ય બાબાસાહેબને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ: PM

Gujarati

લખનઉ અને ચેન્નાઈ વચ્ચે IPLની 30મી મેચ, CSK કરવા માંગશે વાપસી

લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આજે IPLની 30મી મેચ રમાવાની છે. આ મેચનું આયોજન લખનઉના હોમ ગ્રાઉન્ડ  અટલ બિહારી બાજપેયી સ્ટેડિયમમાં કરવામાં આવી છે. સતત પાંચ હાર સાથે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહેલી MS ધોનીના કેપ્ટનશીપ હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સ લખનઉ સુપર જાયન્ટ્સ સામે વાપસી કરવાનો પ્રયાસ કરશે. ઈજાગ્રસ્ત ઋતુરાજ ગાયકવાડના સ્થાને મહેન્દ્ર સિંહ ધોની બાકીની સીઝન માટે ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.  IPLમાં રવિવારે બે મેચ રમાઈ હતી.. જેમાં પહેલી મેચ રાજસ્થાન રોયલ્સ અને બેંગલુરુ વચ્ચે યોજાઇ હતી.. જેમાં RCB 9 વિકેટની મેચ જીતી ગયું હતું.. તો બીજી મેચ દિલ્હી અને મુંબઈ વચ્ચે રમાઈ હતી..

Gujarati

PNB કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ

ભાગેડું હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે.  સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, બેલ્જિયમની પોલીસે તેની ધરપકડ કરી છે અને સીબીઆઇની અપીલ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. ભારત સરકારે હવે બેલ્જિયમમાંથી તેના પ્રત્યર્પણની તૈયારીઓ કરી છે.  ઉલ્લેખનીય છે કે  મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેંક સાથે અરબો રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં આરોપી છે.  માર્ચ મહિનમાં એ ખુલાસો થયો હતો કે, ભાગેડુ મેહુલ ચોકસી બેલ્જિયમમાં છુપાયેલો છે. ત્યાર બાદ તેના ધરપકડની તૈયારીઓ ઝડપી બનાવવામાં આવી હતી.  હવે સરકાર તેને ભારત લાવશે.

મેહુલ ચોકસીની ધરપકડ એક મહત્ત્વપૂર્ણ પગલું

Gujarati

ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ, દેશભરમાં વિવિધ કાર્યક્રમ

આજે આખા દેશમાં બંધારણના નિર્માતા અને ભારત રત્નથી સન્માનિત બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે  દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને અન્ય મહાનુભાવો આજે સંસદ સંકુલમાં બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ડૉ. ભીમરાવ આંબેડકર સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા અને ન્યાય મંત્રી હતા.

Gujarati

ભારત-આફ્રિકી દેશો વચ્ચે ચાંચિયાગીરી સામે બહુપક્ષીય કવાયત શરૂ

ભારત અને આફ્રિકી દેશો વચ્ચે સમુદ્રી સહયોગ સુદ્રઢ બનાવવાના ભાગ રૂપે પ્રથમ બહુપક્ષીય અભ્યાસ આફ્રિકા-ઇન્ડિયા કી મેરીટાઇમ એંગેજમેન્ટ-AIKEYME 18 એપ્રિલ સુધી આયોજીત કરવામાં આવશે. સંસ્કૃતમાં 'ઐક્યમેય'નો અર્થ એકતા થાય છે. આ દરિયાઈ કવાયત તાંજાનિયાના દાર-એ-સલામમાં યોજાઈ રહી છે. જેમાં ભારત અને તાંજાનિયા સહ યજમાન રહેશે. આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ક્ષેત્રીય સુરક્ષા અને વિકાસના દ્રષ્ટિકોણને અનુરૂપ છે. INS ચેન્નઇ અને INS કેસરી દારેસલામ પહોચતાં તાંજાનિયા પિપલ્સ ડિફેન્સ ફોર્સ સાથે ઉદ્ઘાટન સમારોહ આયોજીત થયો હતો.

Gujarati

પેટલાદ ખાતે શહેરના મુખ્ય માર્ગ પર સરદાર પટેલ ઓવરબ્રિજનું લોકાર્પણ

આણંદ જિલ્લાના  પેટલાદ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદ ખંભાત રોડ પર અને પેટલાદ શહેરના મુખ્ય માર્ગ પર સરદાર પટેલ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યુ. તે સમયે નાયબ દંડક રમણભાઈ સોલંકી પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ આણંદ, સોજીત્રાના ધારાસભ્યો સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા.

છેલ્લા ઘણા વર્ષોથી પેટલાદ શહેરમાંથી પસાર થતી રેલવે લાઈન પર ટ્રાફિકની સમસ્યા હતી. તેના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું.

Gujarati

આજે હનુમાન જયંતી પર્વની રાજ્ય સહિત દેશભરમાં થઈ રહી છે ઉજવણી

સાળંગપુર હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે મંગળા આરતી બાદ દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરાયો, 251 કિલોની કેક ધરાવીને સંતોએ દાદાનો જયઘોષ કર્યો, વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાને શીશ ઝુકાવી પ્રાર્થના કરી તો 400 ભક્તોએ ભવ્ય મારુતિ યજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર કર્યા. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા.

દીવમાં હનુમાન મંદિરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ. દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા, સવારે મહાઆરતી બાદ મહાપ્રસાદ અને ભજન કીર્તનનું આયોજન કરાયું.

Gujarati

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં ભાવનગર, અમરેલી, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આગામી સમયમાં તાપમાન વધશે, હવામાન વિભાગે 15 થી 17 એપ્રિલ સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે, રાજકોટમાં સૌથી વધુ 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

 

Gujarati

જાણીતા કથક નૃત્યાંગના અને ગુરુ કુમુદિની લાખિયાનું 95 વર્ષની વયે નિધન

ગુજરાતના જાણીતા ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર કુમુદિની લાખિયાનું આજે 95 વર્ષની વયે નિધન થયું. તેઓ એક સફળ કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર હતા. 

તેઓને તાજેતરમાં જ પદ્મ વિભૂષણથી સન્માનિત થનારા લોકોની યાદીમાં સામેલ કરાયા હતા. 17 મે, 1930ના રોજ અમદાવાદમાં તેમનો જન્મ થયો હતો. તેમણે ઈ.સ.1967માં અમદાવાદમાં કદમ્બ સ્કૂલ ઑફ ડાન્સ ઍન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી. જે ભારતીય નૃત્ય અને સંગીતને સમર્પિત એક સંસ્થા છે. કથક ક્ષેત્રે નવતર પ્રયોગોનો શ્રેય અચૂક તેમના ફાળે જાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુમુદિની લાખિયાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply