Skip to main content
Settings Settings for Dark

Live TV

X

પ્રધાનમંત્રી મોદીએ 51 હજારથી વધુ યુવાનોને નિમણૂકપત્રોનું વિતરણ કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં 51 હજારથી વધુ નવનિયુક્ત યુવાઓને નિયુક્તિપત્રો વિતરણ કર્યા છે. આ રોજગાર મેળાનું 15મું સંસ્કરણ હતું. દેશભરમાં કુલ 47 સંસ્થાઓમાં રોજગાર મેળાનું આયોજન કરાયું હતું. 

Gujarati

અંબાજી નજીક રાણપુર ખાતે કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, 10 ઇજાગ્રસ્ત

અંબાજી નજીક રાણપુર ખાતે ઇકો કાર પલટી ખાઇ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અંબાજીથી ખેરોજ તરફ જઈ રહી હતી. ગરમીના કારણે ઇકો કારનું ટાયર ફાટતાં કાર પલટી મારી ગઇ હોવાનું અનુમાન છે. કારમાં મુસાફરી કરી રહેલા 12થી 13 લોકો પૈકીના 10 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે પૈકી બેને પાલનપુર સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે. રસ્તા પર જતા અન્ય કારચાલકોએ ઉભા રહીને ઇજાગ્રસ્ત પીડિતોને મદદ કરી હતી.

દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં 

Gujarati

લખનઉ સુપર જાઈન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મુકાબલો

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કેપિટલ્સ (DC) આજે ટકરાશે. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. દિલ્હીએ ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં સાત મેચ રમી છે, જેમાંથી તેણે પાંચમાં જીત મેળવી છે. બીજી તરફ, લખનઉએ દિલ્હી કરતાં એક મેચ વધુ રમી છે, પરંતુ તેણે ફક્ત પાંચ મેચ જીતી છે.

સિઝનમાં બંને ટીમો બીજી વખત એકબીજા સામે આવી

Gujarati

વેન્સ પરિવારે માણી રાજસ્થાનની લોકસંસ્કૃતિ, આમેર કિલ્લો અને હવા મહેલની મુલાકાત લીધી

અમેરિકાના ઉપપ્રમુખ જેમ્સ ડેવિડ (જેડી) વેન્સ તેમના પત્ની ઉષા અને ત્રણ બાળકો સાથે ભારતની ચાર દિવસની મુલાકાતે છે. તેઓ સોમવારે રાત્રે જયપુર પહોંચ્યા હતા અને રામબાગ પેલેસમાં રોકાયા હતા. મંગળવારે સવારે તે પોતાના પરિવાર સાથે આમેર કિલ્લો જોવા ગયા હતા. વેન્સ અને તેના પરિવારની સુરક્ષા માટે 2400 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. અમેરિકી ઉપપ્રમુખની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર જયપુર શહેરને શણગારવામાં આવ્યું છે. આમેર કિલ્લાથી હોટેલ રામબાગ પેલેસ જતી વખતે વેન્સ અને તેમના પરિવારે રસ્તામાં જલ મહેલ, હવા મહેલ અને પારકોટાની પણ મુલાકાત લીધી હતા. 

Gujarati

દાહોદમાં NTPC કંપનીના સોલાર પ્લાન્ટના ગોડાઉનમાં આગ, કારણ અકબંધ

દાહોદના ભાટીવાડા ખાતે નિર્માણાધિન NTPC કંપનીના પ્રોજેક્ટમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. NTPC કંપની દ્વારા સોલાર પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે. નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારીએ કહ્યું હતું કે, 'ભાટીવાડા ગામમાં NTPCના સોલાર પ્લાન્ટના સામગ્રી સંગ્રહિત કરતા ગોડાઉનમાં આગ લાગી હતી. આગમાં લગભગ આખું ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું.

આખી રાત આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો 

Gujarati

સાઉદી અરબ ભારતનું સૌથી મૂલ્યવાન ભાગીદાર, ભરોસાપાત્ર મિત્ર: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી સાઉદી અરબના પ્રવાસે છે.  સાઉદી અરબની યાત્રા માટે રવાના થતા પહેલાં મહત્ત્વનું સત્તાવાર નિવેદન બહાર પડ્યું હતું.  આ મુલાકાત સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર થઈ રહી છે.

"10 વર્ષમાં પરસ્પર સંબંધો ખૂબ જ ઝડપથી આગળ વધ્યા છે"

Gujarati

રામબન ભૂસ્ખલન: જમ્મુ-શ્રીનગર હાઇવે સતત ત્રીજા દિવસે પણ બંધ

જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સતત ત્રીજા દિવસે મંગળવારે બંધ રહ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે, હાઇવેને પુનઃસ્થાપિત કરવામાં વધુ પાંચ દિવસ લાગશે. જ્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના એન્જિનિયરોનું કહેવું છે કે, હાઇવેને 22 જગ્યાએ નુકસાન થયું છે અને સમારકામનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.

લગભગ 4 થી 5 કિલોમીટરનો ભાગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો

Gujarati

વિશ્વ પૃથ્વી દિવસ: નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી, પૃથ્વીને હરિયાળી બનાવવાનો લીધો સંકલ્પ

દર વર્ષે 22 એપ્રિલના દિવસને વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ પર્યાવરણ સંરક્ષણ તરફ ધ્યાન દોરવાનો છે. વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે, નેતાઓએ પર્યાવરણનું રક્ષણ કરવા અને પૃથ્વીને સ્વચ્છ-હરિયાળી બનાવવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને અન્ય નેતાઓએ વિશ્વ પૃથ્વી દિવસની શુભેચ્છાઓ પાઠવી અને પ્રકૃતિ પ્રત્યે જવાબદારી સ્વીકારવાનું કહ્યું. 

પૃથ્વીને સુરક્ષિત રાખવા ખૂબ કાળજી લેવાની જરૂર: અમિત શાહ 

Gujarati

PM મોદી અને US VP જેડી વેન્સે દ્વિપક્ષીય સંબંધોની કરી સમિક્ષા, વિવિધ ક્ષેત્રે ચર્ચા

અમેરિકાના નાયબ પ્રમુખ જેમ્સ ડેવિડ (જે.ડી.) વેન્સ ચાર દિવસના ભારત પ્રવાસે છે. સોમવારે વેન્સ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થઇ હતી. બેઠકમાં તમામ મોટા મુદ્દા અંગે વિસ્તારપુર્વક ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓએ આર્થિક ક્ષેત્રના અનેક મોરચે સધાયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. પારસ્પરિક  લાભકારી  ભારત- અમેરિકા વેપાર સમજૂતી  માટે ચાલી રહેલી વાટાઘાટોમાં સધાયેલી પ્રગતિને પણ બંને દેશોએ આવકારી હતી. તે ઉપરાંત ઉર્જા, સંરક્ષણ, ટેકનોલોજી સહિત અનેક મોરચે સહયોગ વધારવાના મુદ્દે સહમતી સધાઇ હતી.

Gujarati

પોપ ફ્રાન્સિસના નિધન પર તેમના સન્માનમાં સમગ્ર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક

ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની ઉંમરે લાંબી બીમારી બાદ સોમવાર સવારે એટલે કે ઈસ્ટર મંડેના દિવસે નિધન થયું છે.   આ વર્ષે ડબલ નિમોનિયાથી પીડિત થયા બાદ પોપ ફ્રાન્સિસ 38 દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન એવા પોપ ફ્રાન્સિસના અવસાન પર દુનિયાભરના દિગ્ગજોએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, પોપ ફ્રાન્સિસ ભારતીયો પ્રત્યે ખાસ સ્નેહ રાખતા હતા. આ વચ્ચે તેમના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

સમગ્ર ભારતમાં રાષ્ટ્રીયધ્વજ અડધો ઝુકાવવામાં આવશે

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply