પ્રધાનમંત્રી મોદીએ 51 હજારથી વધુ યુવાનોને નિમણૂકપત્રોનું વિતરણ કર્યુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં 51 હજારથી વધુ નવનિયુક્ત યુવાઓને નિયુક્તિપત્રો વિતરણ કર્યા છે. આ રોજગાર મેળાનું 15મું સંસ્કરણ હતું. દેશભરમાં કુલ 47 સંસ્થાઓમાં રોજગાર મેળાનું આયોજન કરાયું હતું.