મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શ્રીલંકન પ્રતિનિધિ મંડળની મુલાકાત
મુખ્યમંત્રીએ આ ડેલીગેશનને ગુજરાત મુલાકાતમાં આવકારતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અને શ્રીલંકાના સંબંધો વધુ સુદ્રઢ થયા છે તેમજ બે દેશો વચ્ચે લાંબા ગાળાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને જે વધુ ગતિ મળી છે તેમાં આ બેઠક ફળદાયી બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાત પોલીસી ડ્રિવન સ્ટેટ છે ત્યારે વિવિધ સેક્ટર્સની પોલીસીઝનો લાભ શ્રીલંકા પોતાના રસ ધરાવતા સેક્ટર્સ માટે લઈ શકે તે માટે રાજ્ય સરકાર અને શ્રીલંકા વચ્ચે પરસ્પર સંકલનની હિમાયત કરી હતી. એટલું જ નહીં, વધુને વધુ ગુજરાતીઓ શ્રીલંકા પ્રવાસે જઈ શકે તે દિશામાં પણ આયોજન માટે ચર્ચા-વિમર્શ આ બેઠકમાં કર્યા હતા.