વડોદરામાં શાળા પ્રવેશોત્સવ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બાળકોનું સ્વાગત
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વાલીઓ ખૂબ જ વિશ્વાસ સાથે તેમના બાળકોને શિક્ષકોને સોંપે છે, ત્યારે શિક્ષકોએ આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ. તેમણે બાળકોને ભારમુક્ત અને રમતા-રમતા શિક્ષણ આપવા તથા રમત-ગમત, કલા અને સંગીત જેવી પ્રવૃત્તિઓ પર ભાર મૂકવા અનુરોધ કર્યો હતો.વડોદરા નગર શિક્ષણ સમિતિની કામગીરીની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, આ વર્ષે 7,544 બાળકોએ નવો પ્રવેશ મેળવ્યો છે, જેમાં 1354 બાળકો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં જોડાયા છે. આ ડ્રોપઆઉટ ઘટાડવાની સફળતા બદલ તેમણે તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.