‘હું પ્રધાનમંત્રી છું, છતાં લોકો મને સલાહ આપે છે’:પ્રધાનમંત્રી મોદીએ વિદ્યાર્થીઓને આપ્યો સફળતાનો મંત્ર
કાર્યક્રમના પ્રથમ સત્ર ‘તમારી શૈલી, તમારી ગતિ’ દરમિયાન ગુજરાતની એક વિદ્યાર્થિનીએ પ્રધાનમંત્રીને મુંઝવતો પ્રશ્ન પૂછ્યો હતો. તેણે જણાવ્યું કે, પરીક્ષા સમયે શિક્ષકો અલગ રીતે ભણવાનું કહે છે અને વાલીઓ અલગ રીતે, જ્યારે વિદ્યાર્થીની પોતાની પદ્ધતિ કંઈક અલગ હોય છે.આ પ્રશ્નના ઉત્તરમાં પ્રધાનમંત્રી મોદીએ હળવા અંદાજમાં કહ્યું, “આ પદ્ધતિનો સંઘર્ષ જીવનભર ચાલે છે. હું પ્રધાનમંત્રી બની ગયો છું, છતાં લોકો મને અલગ-અલગ રીતે કામ કરવા માટે કહેતા રહે છે. પરંતુ દરેક વ્યક્તિની કામ કરવાની પોતાની એક આગવી રીત હોય છે.”