કેન્દ્રીય પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત, રાજસ્થાન અને દાદરા નગર હવેલીમાં ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ આપવાની કામગીરી પૂર્ણ
આ માટે રાજ્યમાં વિવિધ 444 સ્થાન પરથી ત્રણ અલગ અલગ ઊંડાઈએથી 1215 જેટલા માટીના નમૂના એકત્રિત કરીને તેનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે. આ પૃથ્થકરણના માધ્યમથી આપણે આગામી સમયમાં ગુજરાતમાં વનોના વધુ વિકાસ માટે ઈચ્છિત પરિણામ મેળવી શકીશું તેમ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ ગાંધીનગરથી જણાવ્યું હતું.
રાજ્યમાં પ્રથમવાર ગાંધીનગર ખાતેથી વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ગુજરાતના વિવિધ 28 ટેરિટરી ડિવિઝનમાં જોધપુર સ્થિત આઇ.સી.એફ.આર.ઈ- શુષ્ક વન અનુસંધાન સંસ્થાનના ઉપક્રમે ‘વન મૃદા આરોગ્ય પત્ર’ - ‘ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ’નું વિમોચન કરવામાં આવ્યું હતું.