અમદાવાદ ખાતે કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
જેમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યઓએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા.કલેકટર સુજીત કુમારે જણાવ્યું હતું કે નાગરિકો અને પદાધિકારીઓ સાથે વિવેકપૂર્ણ સકારાત્મક અભિગમ સાથે વાત કરવાથી સમસ્યાનું ઝડપથી નિરાકરણ આવે છે, તેમણે અધિકારીઓને સરકારના પત્રો અને પરિપત્રોનો વિગતે અભ્યાસ કરી ત્વરાએ પાલન કરવા જણાવ્યું હતું.