'આપણે બિહારને વિકસિત બિહાર બનાવવું પડશે':પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે મોતીહારી પહોંચ્યા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોતીહારીના ઐતિહાસિક ગાંધી મેદાનમાં એક કાર્યક્રમમાં 7,200 કરોડ રૂપિયાથી વધુના રેલ, માર્ગ, ગ્રામીણ વિકાસ, મત્સ્યઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રો સાથે સંબંધિત વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સભાને પણ સંબોધિત કરી. તેમણે કહ્યું, 'આપણે બિહારને વિકસિત બિહાર બનાવવું પડશે.'
આ ભૂમિએ ઇતિહાસ રચ્યો છે