Skip to main content
Settings Settings for Dark

Live TV

X

સિવિલ હોસ્પિટલના દર્દીઓના પરિજનો માટે રાહતના સમાચાર:60 કરોડના ખર્ચે નિર્મિત 858 બેડના આધુનિક 'રેનબસેરા'નું લોકાર્પણ

અત્યાર સુધી હોસ્પિટલની નજીકના વિસ્તારોમાં પૂરતી સુવિધાના અભાવે અથવા આર્થિક મર્યાદાના કારણે અનેક પરિવારોએ મોંઘા દરની હોટલોમાં રોકાવું પડતું હતું અથવા ફૂટપાથ પર રાત વિતાવવી પડતી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ, નાગરિકોની આ હાલાકી દૂર કરવા માટે સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા ખાતે ₹60 કરોડના ખર્ચે  858 બેડની ક્ષમતા ધરાવતું અત્યાધુનિક 'રેનબસેરા' તૈયાર કરવામાં આવ્યું છે.

Gujarati

અશાંતધારા અધિનિયમમાં સુધારા સૂચવતું વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર

ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા બાબત(સુધારા) વિધેયક-2026 રજૂ કરતી વખતે મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું કે, આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર રોકવાનો અને કાયદેસરના માલિકોના હિતોનું રક્ષણ કરવાનો છે.

*આ વિધેયકના મુખ્ય સુધારાઓ અને જોગવાઈઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે સરકાર દ્વારા આ કાયદાને વધુ મજબૂત બનાવવા માટે નીચે મુજબના મહત્વના સુધારા અમલમાં મૂકવામાં આવ્યા છે:

Gujarati

મંત્રીમંડળે 28,840 કરોડના ખર્ચ સાથે સુધારેલી ઉડાન યોજનાને મંજૂરી આપી, 100 એરપોર્ટ વિકસાવવામાં આવશે

કેન્દ્ર સરકારે 28,840 કરોડના કુલ ખર્ચ સાથે આગામી 10 વર્ષ માટે ‘રીઝનલ કનેક્ટિવિટી સ્કીમ (RCS) - સુધારેલી ઉડાન યોજના’ને મંજૂરી આપી છે. આ યોજના નાણાકીય વર્ષ 2026-27 થી 2035-36 સુધી અમલમાં રહેશે.

ટીયર-2 અને ટીયર-3 શહેરોમાં કનેક્ટિવિટી વધશે

Gujarati

રામ નવમીની પૂર્વ સંધ્યા પર ભારતના રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ

એક સંદેશમાં, રાષ્ટ્રપતિએ કહ્યું છે કે “રામ નવમીના શુભ પ્રસંગે, હું તમામ દેશવાસીઓ અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું.આ તહેવાર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મજયંતી નિમિત્તે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી રામની મહાકાવ્ય જીવનયાત્રા આપણને અર્થપૂર્ણ જીવન માટે સત્ય, ન્યાય અને સદ્ગુણના માર્ગ પર ચાલવા માટે માર્ગદર્શન આપે છે. ભગવાન શ્રી રામનું જીવન આપણને સમાજ પ્રત્યેની આપણી ફરજો નિભાવવા માટે પ્રેરિત કરે છે. ભગવાન શ્રી રામના આદર્શો આપણી સંસ્કૃતિનો પાયો છે અને આપણે તેમના દ્વારા જીવવાનો પ્રયાસ કરવો જોઈએ.

Gujarati

શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ સુધારા વિધેયક પસાર થતાં યુનિવર્સિટી કર્મચારીઓને હવે ઘરઆંગણે ઝડપી ન્યાય મળશે: શિક્ષણમંત્રી

વર્ષ-2023માં, રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટીઓને લગતાં જુદા-જુદા કાયદાઓને એકીકૃત કરી ‘Gujarat Public Universities Act, 2023’ અમલમાં મૂકતાં,  યુનિવર્સિટીને લગતાં અલગ-અલગ એકટ રદ કરવામાં આવ્યા હતા. આ એક્ટ રદ થતાં તે તમામ યુનિવર્સિટી ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ, 2006ના અધિકાર ક્ષેત્રમાંથી દૂર થયા હતા.

Gujarati

શિવરંજની ચાર રસ્તા પાસે BRTS બસ સ્ટેન્ડની કેબિનમાં આગ, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી જાનહાનિ ટળી

પ્રાપ્ત માહિતી મુજબ તા. 25 માર્ચ 2026ના રોજ બપોરે લગભગ 12:43 વાગ્યે 112 ઈમર્જન્સી સેવા પર બસ સ્ટેન્ડની અંદર આવેલી કેબિનમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. માહિતી મળતાની સાથે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે, બસ સ્ટેન્ડની ટિકિટ બારીના કેશ કાઉન્ટર વિસ્તારમાં આગ લાગી હતી, જેના કારણે પ્રિન્ટર, પંખો તેમજ ઇલેક્ટ્રિકલ વાયરિંગ બળી જવાથી નુકસાન થયું છે. ઘટનાસ્થળે BRTSના સુપરવાઇઝર પણ હાજર રહ્યા હતા.

Gujarati

શિવરંજની ચાર રસ્તા પાસે BRTS બસ સ્ટેન્ડની કેબિનમાં આગ, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી જાનહાનિ ટળી

પ્રાપ્ત માહિતી મુજબ તા. 25 માર્ચ 2026ના રોજ બપોરે લગભગ 12:43 વાગ્યે 112 ઈમર્જન્સી સેવા પર બસ સ્ટેન્ડની અંદર આવેલી કેબિનમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. માહિતી મળતાની સાથે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે, બસ સ્ટેન્ડની ટિકિટ બારીના કેશ કાઉન્ટર વિસ્તારમાં આગ લાગી હતી, જેના કારણે પ્રિન્ટર, પંખો તેમજ ઇલેક્ટ્રિકલ વાયરિંગ બળી જવાથી નુકસાન થયું છે. ઘટનાસ્થળે BRTSના સુપરવાઇઝર પણ હાજર રહ્યા હતા.

Gujarati

SGVP અને ફાઉન્ડેશન ફોર પીસફુલ ચેન્જ દ્વારા ‘વર્લ્ડ પીસ ફ્લેગ સેરેમની’નું આયોજન

આ પ્રસંગે વૈશ્વિક એકતા અને વૈદિક જ્ઞાનના સંગમ દ્વારા “ઇન્ડિજીનિયસ – વિસ્વદેશી” ચળવળનું આહવાન કરવામાં આવ્યું હતું.આ સમારોહ પરમ પૂજ્ય સદગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં "વસુધૈવ કુટુંબકમ"ના પવિત્ર સિદ્ધાંત હેઠળ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દર્શનમ્ સંસ્કૃત સંસ્થાનમના ઋષિકુમારો દ્વારા પરંપરાગત વૈદિક સંસ્કૃત શ્લોકગાન સાથે કરવામાં આવી હતી. સમારોહની પૂર્ણાહુતિ ઉપનિષદના 'શાંતિ પાઠ'થી થઈ હતી, જેમાં સર્વે જીવોના સ્વાસ્થ્ય અને સુખની મંગલ કામના કરવામાં આવી હતી.

Gujarati

ગાંધીનગર કલેકટર જે.એન. વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પાણી, જમીનની બિન ખેતી, વૃક્ષારોપણ, જમીન એકત્રીકરણ, ફૂટપાથ પરથી દબાણ હટાવવા, મિલકત વેચાણ મંજૂરી વગેરે વિષય પર કુલ 16 અરજીઓ આવી હતી, જેમાં કલેકટરએ તમામ અરજદારોને સંવેદના સાથે સાંભળી સત્વરે નિવારણ લાવવા સંલગ્ન વિભાગોને સૂચના આપી હતી. કાર્યક્રમમાં સ્થળ પર જ 13 પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું છે અને 1 પ્રશ્ર પેન્ડિંગ રાખવામાં આવ્યો છે.

Gujarati

પશ્ચિમ એશિયા કટોકટી: સરકાર ભારતીય સલામતી, ગેસ પુરવઠો અને આત્મનિર્ભરતા પર ધ્યાન કરે છે કેન્દ્રિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકારની ટોચની પ્રાથમિકતા નાગરિકોની સલામતી છે. અત્યાર સુધીમાં, 375,000 થી વધુ ભારતીયોને સંઘર્ષ વિસ્તારોમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં ઈરાનથી 700 થી વધુ તબીબી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અસરગ્રસ્ત પરિવારોને તમામ જરૂરી સહાય અને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. વડા પ્રધાને એમ પણ કહ્યું કે તેમણે ઘણા પશ્ચિમ એશિયાઈ દેશોના નેતાઓ સાથે બે વાર વાત કરી છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply